ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુચર્ચિત નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ સાથે શાહે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ વિધેયક કોઈના અધિકારોને છીનવી લેનારું નહીં પરંતુ અધિકાર આપનારું વિધેયક છે.
લોકસભામાં રજૂ થયું નાગરિકતા સંશોધન બિલ
અમિત શાહે કર્યું રજૂ
અમિત શાહે બિલને ગણવ્યું ભેદભાવ વગરનું
ગૃહમંત્રી અમિતશાહે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ કરી દીધું છે. તમણે બિલ રજૂ કરતી વખતે વિપક્ષના વાંધાનો જવાબ આપતાં કહ્યું કે, જો તમે આ બિલને ભૂલ ભરેલું સાબિત કરી દેશો તો અમે બિલ પરત ખેંચી લેશું.
ગૃહમંત્રી અમિતશાહનું નિવેદન
ગૃહમંત્રી અમિતશાહે કહ્યું કે, ભારતના લઘુમતીઓની આપણે ચિંતા કરીએ છીએ તો શું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગલાદેશથી આવેલા પીડિત શરણાર્થીઓની આપણે ચિંતા ન કરવી જોઈએ અમે જે બિલ લાવ્યા છીએ તે અમારા ઘોષણાપત્ર પ્રમાણેનું છે.
અમિત શાહે બિલને ગણવ્યું ભેદભાવ વગરનું
અમિતશાહે આ બિલ કોઈ પણ પ્રકારનો ભેદભાવ વિનાનું ગણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, ધર્મ અને પંથના આધારે કોઈની સાથે ભેદભાવ ન થયા તેનું અમે ધ્યાન રાખી રહ્યા છીએ પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે, દેશની સરહદોની પણ સુરક્ષા જળવાઈ રહે. એવો કયો દેશ હશે જેણે બહારથી આવેલા નાગરિકોને નાગરિકતા દેવા માટે કાયદો નહીં બનાવ્યો હોય...
ગૃહમંત્રીએ પોતાના જવાબમાં લાલકૃષ્ણ અડવાણી, ડો.મનમોહનસિંહનું ઉદાહરણ રજૂ કરીને જણાવ્યું કે, આ બિલ કોઈને નુકસાન નહીં કરે. કેમકે આ આપણે આ અગાઉપણ જે શરણાર્થીઓને નાગરિકતા આપી હતી તેમને આપણે દેશના પ્રધાનમંત્રીના હોદ્દા સુધી પહોંચાડયા છે.
પૂર્વોત્તર રાજ્યોની ચિંતા કરી દૂર
અમિતશાહે આ બિલના કારણે અસમ સહિત પૂર્વોત્તર રાજ્યોની ચિંતા દૂર કરતાં કહ્યું કે, અસમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં બંગાલ ઈસ્ટ ફ્રંટિયર કાયદો લાગૂ રહેશે..જ્યારે નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર જેવા રાજ્યોમાં ઈનર લાઈન પરમિટ લાગુ રહેશે.
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું છે. જેના પર ચર્ચા બાકી છે. તે પછી વોટિંગ થશે અને પાસ થશે પછી રાજ્યસભમાં રજૂ કરવામાં આવશે. એવી આશા સેવાઈ રહી છે કે બિલ બન્ને ગૃહોમાંથી પસાર થઈ જશે.