કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે ત્યારે શુક્રવારે પાનસરમાં ગૃહમંત્રી અમિત શાહે સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2024માં પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ ચૂંટાશે.
2024માં પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ ચૂંટાશેઃ અમિત શાહ
20 વર્ષમાં નથી લીધી એક પણ રજાઃ અમિત શાહ
જે કામો નથી થયા તેની ચિંતા સતત હોય છેઃ અમિત શાહ
પાનસરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચક નિવેદન આપ્યું હતું. અમિત શાહે સભા દરમિયાન કહ્યું કે, નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવનમાં સત્તા સંભાળવાનાના 20 વર્ષ પૂર્ણ થયા છે. આખી દુનિયામાં કોઇ નેતા એવા નથી જેણે 20 વર્ષ સુધી એકધારી ચૂંટણી જીતી હોય. 20 વર્ષ સુધી એકધારા લોકોની સેવા કરતા હોય.
2024માં પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ ચૂંટાશે: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, જ્યાં વ્યવસ્થા નથી ત્યાં છૂટકો નથી, જે બેસી જાય તે બેસી જાય. પણ જ્યાં બદલવા માટે વ્યવસ્થા છે ત્યાં એક પણ એવો દેશ નથી કે કોઇએ આટલી લાંબી સેવા કરી હોય. 7 ઓક્ટોબર 2001ના રોજ સત્તા સંભાળી હતી આજે 7 ઓકટોબર 2021એ PM છે. 2024માં એ જ ચૂંટાઇ જશે.
ગમે એટલું મોટું સારૂ કામ થયું હોય તેને ક્ષણિક આનંદ મેં નથી જોયોઃ અમિત શાહ
વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, મનમાં સતત લોક સેવાનો ભેખ લઇને નીકળ્યા છે. 20 વર્ષમાં મેં એમને એક દિવસ રજા લેતા નથી જોયા. 20 વર્ષમાં ગમે એટલું મોટું સારૂ કામ થયું હોય તેનો ક્ષણિક આનંદ પણ મેં નથી જોયો. જે રહી ગયું હોય તેની ચિંતા તેમના ચહેરા દેખાય છે. આ તો થઇ ગયું પણ હવે પેલું બાકી છે તેનું શું? આટલો વિચાર દેશ, રાજ્ય અને જનતા માટે જવ્વલે જ કોઇ લોકનેતામાં હોય છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પાનસર ગામ તળાવ બ્યુટિફિકેશન માટે શિલાન્યાસ અને વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે સંબોધન કર્યું હતું.
ગાંધીનગર અને કલોલના પાનસર હાજરી આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યાર તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ચાની કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ ચાની કેન્ટીનનું મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અમિત શાહે સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો હતો. તેમજ ટકોર કરી હતી કે પ્લાસ્ટિકના કપ બંધ કરવાના છે. મોદી સાહેબે દરેક ગામમાં માટીના વાસણ બનાવવા માટે ચાકડા આપ્યા છે. તો આ તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કલોલના પાનસર પણ પહોચ્યા હતાં. ત્યાં તેમણે 10.59 કરોડના ખર્ચે 143 પ્રજાલક્ષી કામોનું લોકપર્ણ કર્યુ હતું. તેમજ PHCના લોકાર્પણ બાદ તેમણે ઇ-લોકાર્પણના કાર્યક્રમાં હાજરી આપી હતી.