સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના છેલ્લા અઠવાડિયામાં, સોમવારે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે અપરાધિક પ્રક્રિયા (ઓળખ) વિધેયક રજૂ કર્યું.
અપરાધિક પ્રક્રિયા વિધેયલ બિલ પર ચર્ચા
સંસદમાં અમિત શાહની ટિપ્પણી
હુ ક્યારેય ગુસ્સે નથી થતોઃ અમિત શાહ
સંસદમાં અપરાધિક પ્રક્રિયા (ઓળખ) વિધેયક બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ જ્યારે આ બિલ પર સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન બંગાળના TMCના સાંસદે તેમને વચ્ચે ટોક્યા હતા. જેથી અમિત શાહે તેમને દાદાથી સાંસદને સંબોધ્યા હતા. આથી વિપક્ષના સાંસદે કહ્યુ હતુ કે, તમે દાદા પણ કહો છો અને સાથે ઉઁચા અવાજે બોલીને ઠપકો પણ આપો છે.
મારો અવાજ જરા ઉંચો છે, મેન્યુફક્ચરીંગ ડીફેક્ટ છેઃ અમિત શાહ
જેથી અમિત શાહ હળવા મુડમાં જવાબ આપતા કહ્યુ હતુ કે, 'નહીં... નહીં... હું ક્યારેય કોઇને ધમકાવતો નથી, મારો અવાજ જરા થોડો ઉંચો છે, મારી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. હું ક્યારેય કોઇ પર ગુસ્સે નથી થતો, કાશ્મીરનો સવાલ આવે ત્યારે ગુસ્સે થઇ જાઉં છું નહીંતર ગુસ્સે નથી થતો. ' તેમની આ ટિપ્પણીથી સંસદમાં હાસ્ય ફેલાયુ હતુ. તેમણે કહ્યું કે, આ બિલની પાછળ સરકારની નીતિ, કાયદાને વધુ મજબૂતીની સાથે લાગૂ કરાવવા સિવાય કંઇ નથી.