ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિશન મિલિયન ટ્રીનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત અમતિશાહેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં મિશન મિલિયન ટ્રીનો પ્રારંભ
આજે તાપમાન વધવા માંડ્યું છેઃ શાહ
ઓઝોનનું લેયર પાતળુ થયું છેઃ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કર્યું
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મિશન મિલિયન ટ્રીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ નાનકડો જરૂર છે.પરંતુ મહત્વનો છે. તેમણે ઉમેર્યું હતું કે,વૃક્ષોના વાવેતરની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગુજરાતની હરિયાળીને વને વધુ ગાઢ કરવા નિશ્ચિત પ્રયાસ જરૂરી છે. સૌ નાગરિકોએ ભેગા થઇ પોતાના ગામ અને સોસાયટીમાં જેટલા ઘર કે એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ હોય તે દીઠ એક વૃક્ષ તો વાવવું જોઈએ
વરસાદ લાવવો હોય તો વૃક્ષો વાવવા પડેઃ શાહ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો વરસાદ લાવવો હોય તો વૃક્ષો વધુ વાવવા પડશે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાપમાન વધવા માંડ્યું છે. અને ધીમે ધીમે ઓઝોનનું લેયર પણ પાતળું થઈ રહ્યું છે. ત્યારે આ પરિસ્થિને કાબૂ કરવી હશે તો વધુમાં વઘુ વૃક્ષો વાવવા પડશે .મે ધારાસભ્યો સહિત આગેવાનોને પત્ર લખ્યો છે. વૃક્ષો ક્યાંથી મળશે તે પણ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, 2 વર્ષમાં 4 કરોડ વૃક્ષો પેરા મિલિટરી ફોર્સ કેમ્પસમાં વાવ્યા, જેમાંથી 4.12 કરોડ વૃક્ષો જીવિત રહ્યાં છે. તેમણે કહ્યું કે, આપણે જેટલું પ્રદૂષણ કર્યું તેટલું કુદરતને પાછું આપી દઇએ.
હેબતપુર બાદ ચાંદલોડિયા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે
ઉલ્લેખનીય છે,કે શનિવારે સવારે 9 કલાકે અમદાવાદ હેબતપુર ખાતે 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. અહીં ચાંદલોડિયા રેલવે સ્ટેશનના હાઇલેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું ઉદઘાટન કરશે. અહીંથી તેઓ ચાંદલોડિયા-ખોડિયાર રેલવે અન્ડરબ્રિજનું ઉદઘાટન કરશે. એએમસી અને પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન તથા શિલાન્યાસ પણ કરશે.