કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્ર અને રાયગઢમાં વધુ વરસાદ અને ભૂસ્ખલનને કારણે જે લોકોના મોત થયા તે ઘણું જ દુખદ છે.
કેન્દ્ર બધી જ મદદ કરી રહ્યું છે : અમિત શાહ
ચિપલૂન શહેર આખું તળાવમાં ફેરવાયું
પીએમ મોદીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત
કેન્દ્ર બધી જ મદદ કરી રહ્યું છે : અમિત શાહ
મહારાષ્ટ્રમાં ભયંકર વરસાદને કારણે CM ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે વાત થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્ર અને રાયગઢમાં વધુ વરસાદ અને ભૂસ્ખલનને કારણે જે લોકોના મોત થયા તે ઘણું જ દુખદ છે. મે આ સંદર્ભે CM ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને NDRFના DG સાથે પણ વાત કરી છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. કેન્દ્ર બધી જ સંભવ મદદ કરી રહ્યું છે.
ચિપલૂન અને સતારા શહેરનો સંપર્ક ખોવાયો
ભયંકર વરસાદના કારણે હાઈવે પણ પૂરમાં સમાઈ ચૂક્યા છે. સતારાના મહાબળેશ્વર હિલ સ્ટેશન પર 480 એમએમ વરસાદ નોંધાયો છે. જે 45 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી ચૂક્યો છે. મહાબળેશ્વરના સતારાથી સંપર્ક તૂટ્યો છે કેમકે બંનેને જોડતો રસ્તો પૂરમાં વહી ચૂક્યો છે. મુશ્કેલીની વાત એ છે કે અહીં પર્યટક મહાબળેશ્વરનો વરસાદ જોવા આવ્યા હતા તે ફસાઈ ચૂક્યા છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂનું કામ કરી રહી છે.
પીએમ મોદીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં બગડતી સ્થિતિને લઈને પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી અને સ્થિતિને જાણી હતી. આ સિવાય રાજ્યને તમામ સંભવ મદદ કરી હતી. મહારાષ્ટ્રના કલઈ ગામમાં લેન્ડ સ્લાઈડ થવાના કારણે અનેક લોકોના ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એવામાં મહાડમાં ફસાયેલા લોકોને કાઢવા આર્મીની મદદ લેવાઈ રહી છે. રાયગઢમાં અલગ અલગ 4 લેન્ડસ્લાઈડના કારણે અનેક લોકો ફસાયા છે. 15 લોકોને કાઢી લેવાયા છે તો 30 લોકોના હજુ પણ ફસાયા હોવાની માહિતી મળી રહી છે.