કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કશ્મીર આરક્ષણ બિલ સંસદમાં રજૂ કરી દીધું છે. તેઓએ સંસદમાં લોકસભામાં જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહીના માટે વધારવાથી જોડાયેલ પ્રસ્તાવને સંસદમાં મૂક્યો. આની પર ચર્ચા દરમ્યાન ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યારે કોઇ દળ રાજ્યમાં સરકાર બનાવવા માટે તૈયાર ન હોતા તો કશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધાનસભાને ભંગ કરવાનો પણ નિર્ણય રાજ્યપાલે કર્યો હતો.
લોકસભા (Lok Sabha) માં શુક્રવારનાં રોજ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કશ્મીરની સ્થિતિ પર વાત કરી. તેઓએ ઘાટીમાં રાષ્ટ્રપતિ શાસન (President's Rule) ને છ મહીના માટે વધારવાના પ્રસ્તાવ પર પોતાની વાત મૂકી. તેઓએ કહ્યું કે, રાજ્યપાલ શાસન દરમ્યાન આતંકવાદ વિરૂદ્ધ જીરો ટોલરેંસની નીતિ અપનાવવામાં આવી. અનેક વર્ષોથી રાજ્યમાં પંચાયત ચૂંટણી નથી થઇ. એક વર્ષની અંદર ચૂંટણી કરાવવામાં આવી. તેઓએ સંસદમાં જમ્મુ-કશ્મીર આરક્ષણ બિલ રજૂ કર્યુ. જે અંતર્ગત હવે આરક્ષણનો લાભ આંતરરાષ્ટ્રીય સીમા પર રહેનારા લોકોને પણ મળશે. પહેલા માત્ર નિયંત્રણ રેખાની નજીક રહેનારા લોકો આનો ફાયદો ઉઠાવે છે.
J&Kમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા પર ચર્ચાઃ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કશ્મીર આરક્ષણ બિલ સંસદમાં રજૂ કરી દીધું છે. તેઓએ સંસદમાં લોકસભામાં જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહીના માટે વધારવાથી જોડાયેલ પ્રસ્તાવને સંસદમાં મૂક્યો. આની પર ચર્ચા દરમ્યાન ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યારે કોઇ દળ રાજ્યમાં સરકાર બનાવવા માટે તૈયાર ન હોતા તો કશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધાનસભાને ભંગ કરવાનો પણ નિર્ણય રાજ્યપાલે કર્યો હતો. 9 ડિસેમ્બર 2018નાં રોડ રાજ્યપાલ શાસનની અવધિ ખતમ થઇ ગઇ હતી અને પછી કલમ 356નો ઉપયોગ કરતા 20 ડિસેમ્બરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. 2 જુલાઇનાં રોજ છ મહીનાનો અંતરાલ ખતમ થઇ રહ્યો છે અને એટલાં માટે આ રાષ્ટ્રપતિ શાસનને વધારવામાં આવે કેમ કે ત્યાં વિધાનસભા અસ્તિત્વમાં નથી.
Union Home Minister Amit Shah in Lok Sabha: We are monitoring the situation in Jammu & Kashmir. Construction of bunkers in border areas will be done within time limit set by the previous home minister Rajnath Singh Ji. Life of every individual is important to us. pic.twitter.com/vJMBIHT5kX
વર્ષનાં અંતમાં કશ્મીરમાં ચૂંટણીઃ
અમિત શાહે લોકસભામાં કહ્યું કે, ચૂંટણી આયોગે આ વર્ષનાં અંતમાં ચૂંટણી કરવાનો નિર્ણય કરશે અને આને વિશે સૂચિત પણ કરી દેવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે, રમઝાનનો પવિત્ર મહીનો હતો, હવે અમરનાથ યાત્રા થવાની છે, આ કારણોસર ચૂંટણી કરાવવી એ હાલમાં શક્ય ન હોતું. આ વર્ષનાં અંતમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. શાહે કહ્યું કે, ત્યાં રાષ્ટ્રપતિ શાસન વધારવું એ જરૂરી થઇ ગયું છે અને આ દરમ્યાન ત્યાં ચૂંટણી થઇ જશે.
આતંકવાદને જડમૂળથી ઉખાડી ફેંક્યોઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ શાસન દરમ્યાન જમ્મુ-કશ્મીરમાં એક વર્ષની અવધિમાં પ્રથમ વાર આતંકવાદ વિરૂદ્ધ જીરો ટોલરેંસની નીતિ અપનાવવામાં આવી. એક વર્ષની અંદર આતંકવાદને જડમૂળથી હલાવવા માટે આ સરકારે કોઇ જ કસર નથી છોડી.
J&K આરક્ષણ બિલ લોકસભામાં રજૂઃ
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ-કશ્મીર આરક્ષણ સંશોધન બિલ સંસદમાં રજૂ કરતા કહ્યું કે, સીમાવર્તી વિસ્તારોમાં રહેનારા લોકો સૌથી વધારે સીમા પારથી થનારી ગોળીબારીથી પ્રભાવિત થાય છે અને તેઓને આરક્ષણનો લાભ મળવો જોઇએ. તેઓએ કહ્યું કે, નિયંત્રણ રેખા સાથે લાગેલા લોકોને જો 3 ટકા આરક્ષણ છે. આની અંદર આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેનારા લોકોને પણ 3 ટકા આરક્ષણ મળવું જોઇએ. આ આરક્ષણ કોઇને ખુશ કરવા નહીં પરંતુ માનવતાનાં આધાર પર તેમની સમસ્યાને જોતા આપવું જોઇએ.
Manish Tewari, Congress in Lok Sabha: Today situation is such that we have to extend President's rule in Jammu & Kashmir every 6 months, its roots are in the alliance of PDP & BJP in 2015. pic.twitter.com/PogcpPQ6FL
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, જો જમ્મુ-કશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે લોકસભાથી ચૂંટણી કરાવી શકો છો તો વિધાનસભા ચૂંટણીને સાથે કેમ ના કરાવવામાં આવે. તિવારીએ કહ્યું કે, આપણાં પશ્ચિમી પડોશીને જે પડકાર છે તે ખતમ થવાનો નથી. આપને આવામની સાથે રાખવા પડશે ત્યારે જ આપ પડકારનો સામનો કરી શકો છો. તેઓએ કહ્યું કે, સરકાર લોકોનો વિશ્વાસ જીતવામાં નાકામ રહ્યાં છે અને આ કારણોસર ત્યાંનાં હાલત બગડી ગયા છે.
તિવારીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, આરક્ષણનાં પ્રસ્તાવનો વિષય વિધાનસભાનાં અધિકારમાં આવે છે અને આ બિલને લાવવાનો હક વિધાનસભાનો હોવો જોઇએ. સીમા પર રહેનારા લોકોનું દુઃખ અમે સમજીએ છીએ અને આરક્ષણ પર અમને કોઇ જ આપત્તિ નથી પરંતુ તેની રીત પર અમને આપત્તિ જરૂર છે.