ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીનાં નેતૃત્વમાં વર્તમાન સરકાર દેશનાં ગૌરવ માટે કરવામાં આવેલ કોઇપણ પુરુષાર્થનાં સમર્થનમાં છે.
અમિત શાહે અસમમાં ઇતિહાસની કરી વાત
ઇતિહાસને સુધારવા ઇતિહાસકારોને આપી પ્રેરણા
લચિત બોડફૂકનનો કર્યો ઉલ્લેખ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે 24 નવેમ્બનાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તોડીજોડીને રજૂ કરવામાં આવેલા ઇતિહાસને સુધારીને તેને ફરીથી લખતાં અમને કોઇ રોકી શકશે નહીં. ઇતિહાસકારો અને છાત્રોને ભારતનાં વિભિન્ન હિસ્સાઓમાં 150 વર્ષથી વધુ શાસન કરનારા 30 સામ્રાજ્ય અને દેશની સ્વતંત્રતાને લઇને બલિદાન આપવારા 300થી વધુ વિભુતિઓ પર શોધ કરી સાચો ઇતિહાસ લખવો જોઇએ.
Union Home Minister @AmitShah says Ahom warrior Lachit Barphukan’s battle against Mughals, was a battle for the Indian civilisation. Pays rich tributes to the icon on his 400th birth anniversary celebration organised by Assam chief minister @himantabiswa in the national capital. pic.twitter.com/X0h2nr8RHd
લચિત બોડફૂકનનો કર્યો ઉલ્લેખ
ગૃહમંત્રીએ કહ્યું કે જો લચિત બોડફૂકન ન હોત તો પૂર્વોત્તર ભારતનો હિસ્સો જ ન હોત કારણકે તે સમયે તેમના દ્વારા લીધેલા નિર્ણયો અને સાહસને ન કેવળ પૂર્વોત્તર પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટર આક્રમણોથી બચાવ્યાં છે. તેમણે કહ્યું કે લચિત બોરફૂકનનાં તે પરાક્રમોનો ઉપકાર સમગ્ર દેશ, સભ્યતા અને સંસ્કૃતિ પર છે. અમિત શાહ અહોમ સામ્રાજ્યનાં મહાન જનરલ લચિત બોડફૂકનની 400મી જયંતિ પર આયોજિત સમારંભને સંબોધિત કરી રહ્યાં હતાં.
ઇતિહાસને ગૌરવમયી બનાવી રાખવું જોઇએ- શાહ
શાહે અસમનાં મુખ્યમંત્રી ડો. હેમંત વિશ્વ શર્માને અનુરોધ કર્યો કે લચિત બોડફૂકનનાં ચરિત્રનું હિન્દી અને દેશી અન્ય 10 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે જેથી દેશનો દરેક બાળક તેમના સાહસ અને બલિદાનથી વાકેફ થઇ શકે. ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં વર્તમાન સરકાર દેશનાં ગૌરવ માટે કરવામાં આવેલ કોઇપણ પુરુષાર્થની સમર્થક છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ઇતિહાસને તોડીજોડીને રજૂ કરવાનાં વિવાદોથી બહાર નિકળીને ઇતિહાસને ગૌરવયી બનાવી સમગ્ર દુનિયા સામે રાખવું જોઇએ.
મને ફરિયાદો મળે છે...- શાહ
તેમણે કહ્યું કે મને ઘણીવાર ફરિયાદો મળે છે કે આપણાં ઇતિહાસમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેની સાથે છેડા કરવામાં આવી છે. આ આરોપ સાચા પણ થઇ શકે છે. પરંતુ તેમને સુધારા કરવાથી કોણ રોકી રહ્યું છે? હવે આપણને સાચો ઇતિહાસ લખતાં કોણ રોકી શકે છે? તેમણે ઇતિહાસકારો અને છાત્રોને ભારતનાં વિભિન્ન હિસ્સાઓમાં 150 વર્ષથી વધુ શાસન કરનારા 30 સામ્રાજ્ય અને દેશની સ્વતંત્રતાને લઇને બલિદાન આપવારા 300થી વધુ વિભુતિઓ પર શોધ કરી સાચો ઇતિહાસ લખવાની વાત કરી. તેમણે કહ્યું કે તેનાથી નવો ઇતિહાસ સામે આવશે અને અસત્ય આપમેળે ઇતિહાસથી અલગ થઇ જશે.