ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીનું શનિવારે અવસાન થયું હક. તેમણે દિલ્હીના એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરુણ જેટલીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો.
भारत ने आज एक मुखर सांसद गंवाया है,
देश की सुप्रीम कोर्ट ने एक मेधावी वकील गंवाया है और
भाजपा ने अपने यशस्वी नेताओं में से एक नेता गंवाया है।
આ સાથે એમ પણ કહ્યું કે ભાજપના તમામ કાર્યકરો અરુણ જેટલીના નિધનથી ઘેરા દુ:ખમાં છે. અમિત શાહે કહ્યું કે જેટલી હંમેશા મુશ્કેલ સમયમાં મારી સાથે રહ્યા હતા. આ કહેતી વખતે ગૃહમંત્રી અમિત શાહની આંખોમાં આંસુ આવી ગયા હતા.
Union Home Minister Amit Shah in Delhi: Whenever I faced trouble in my life, Arun Jaitley ji stood by me. Today he is not with us anymore, I pray to the almighty to give peace to the departed soul and give strength to his family and BJP workers, to cope with this loss. https://t.co/TVOeoeZ83O
તેમણે કહ્યું કે, જેટલીએ ભારતીય રાજનીતિમાં મહાન કાર્યો કર્યા છે, તેઓએ કટોકટી વખતે 19 મહિનાનો જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ રહ્યા હતા. અમિત શાહે વધુમાં કહ્યું કે, જેટલી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
Union Home Minister Amit Shah: Arun Jaitley's demise is an unbearable loss to the workers of BJP. As a student leader, he was jailed for 19 months during the emergency. As a Member of Parliament, he always raised the voice of the people and acted as a crusader against corruption. pic.twitter.com/LejnyItZO7
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અરૂણ જેટલી નાણા મંત્રી હતા ત્યારે GST ને કુશળતાપૂર્વક અમલી બનાવ્યો અને નોટબંધીને પણ સફળ બનાવી. તેઓ દરેક ક્ષેત્રમાં મહાન વહીવટકર્તાના રૂપમાં ઉભરી આવ્યા. જેટલીના રૂપમાં ભારતે મહાન નેતા અને સુપ્રીમ કોર્ટે મહાન વકીલને ગુમાવ્યા છે.
With a heavy heart, paid tributes to Arun Jaitley ji. Offered my condolences to his family. pic.twitter.com/AJYmYackRc
જેટલીજીનું જવું એ મારા માટે વ્યક્તિગત ક્ષતિઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, ''અરૂણ જેટલીનાં નિધનથી ખૂબ જ દુખી છું. જેટલીજીનું જવું મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. તેમના રૂપે સંગઠનાના એક નેતાની સાથે પરિવારનો એક અભિન્ન સભ્ય પણ ગુમાવ્યા. જેમનો સાથ અને માર્ગદર્શન મને વર્ષો સુધી મળ્યું.''
કાર્યકાળ દરમ્યાન ઘણાં મંત્રાલયો સંભાળ્યા
અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના પ્રવક્તા બની ગયાં હતાં.
સોફ્ટ ટિશ્યુ કેન્સરથી પીડિત હતાં જેટલી
અરૂણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યાર બાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યું કેંસર થઇ ગયું હતું જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા. ચાલુ વર્ષે મે મહિનામાં પણ જેટલીને સારવાર માટે દાખલ કરાયા હતા. વ્યવસાયે વકીલ એવા જેટલી મોદી સરકારના એક મહત્ત્વના હિસ્સો છે. મોદીની પ્રથમ સરકારમાં તેઓ નાણા મંત્રી હતા, પરંતુ તબીયત ખરાબ રહેતી હોવાના કારણે તેઓ આ વખતે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડયા ન હતા અને મંત્રી મંડળમાં પણ રહ્યા ન હતા.