અન્નદાતાના હિતોને નજર સમક્ષ રાખીને જ કેન્દ્રની મોદી સરકારે આ ત્રણ કૃષિ કાયદાઓ બનાવવામાં આવ્યાં છે. કેરકાલમાટી ગામના એક આયોજનમાં અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ખેડૂતોના હિતમાં પગલા ભર્યાં છે. કૃષિ ક્ષેત્રના બજેટને વધારવામાં આવ્યું છે અને તમામ નિર્ણયો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો થયો છે.
કર્ણાટકમાં સામેલ થયેલા મંત્રી મુરુગેશ આર નિરાની અધ્યક્ષતાવાળા એમઆરએન જૂથની ખેડૂત પ્રેરિત પરિયોજનાઓની આધારશિલા રાખતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકારની કિસાન કલ્યાણની પરિયોજનાઓ અને પહેલા અંગે જાણકારી આપી., અમિત શાહ કહ્યું કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વાળી ભાજપના સરકારે પણ ખેડૂતોના કલ્યાણમાં કોઇ કસર છોડી નથી.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે જમા કરાવવા, પ્રધાનંત્રી પાક વીમા યોજના જેવી મહત્વની UPA આટલા માટે ન કરી કે તેઓનો હેતુ સ્પષ્ટ ન હતો. કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે સમર્પિત છે એટલા માટે જ ત્રણ નવા કૃષિ કાયદાઓ લાવી છે. જેમાં ખેડૂતોની આવક બે ગણી થશે અને અન્નદાતાની પરેશાનીઓ દૂર થશે. અમિત શાહએ આ સાથે કહ્યું કે વર્ષોથી અધ્ધર પડેલ 370 ના મુદ્દાનો ઉકેલ પણ મોદી સરકાર લાવી. કોઇ અન્ય સરકારમાં આમ કરવાની હિંમત અને ઇરાદો નહોતો.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા 26 જાન્યુઆરીના રોડ ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવશે. જો કે તેને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.