ગૃહમંત્રીએ CAA લાગૂ કરવામાં થઇ રહેલા વિલંબ અંગે કહ્યું કે અમે આ મુદે નિયમો બનાવી રહ્યાં છીએ. કોરોનાને કારણે તેને લાગૂ કરી શક્યા નહીં પરંતુ હવે કોરોના સમાપ્ત થઇ રહ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે ઇન્ટરવ્યૂમાં કર્યા ખુલાસાઓ
CAA પર કહ્યું કે કામ થઇ રહ્યું છે
ચીન વિવાદો અને પ્લેસિસ ઓફ વર્શિપ પર પણ આપ્યા જવાબો
ચૂંટણીનાં માહોલની વચ્ચે નાગરિકતા સંશોધન બિલ એટલે કે CAAને લઇને ફરી એકવાર વિવાદો શરૂ થઇ શકે છે. ગૃહમંત્રી અમિત શાહે ફરીથી આ મુદાને હવા આપવાનું કામ કર્યું છે. એક ઇન્ટરવ્યૂહમાં અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે જે લોકોને એવું લાગી રહ્યું છે કે સરકારે સીએએને ઠંડા બોક્સમાં મૂકી દીધેલ છે તે ખોટા છે. લોકો એવા કન્ફ્યૂઝનમાં ન રહે.
CAA देश का कानून है, अब इसमे कोई बदलाव नहीं होगा। CAA लागू नहीं होगा, यह स्वप्न देखने वाले भूल कर रहे हैं।
CAA એક વાસ્તવિકતા છે- શાહ
અમિત શાહે એક ઇન્ટરવ્યૂહમાં જણાવ્યું કે સીએએ એક વાસ્તવિકતા છે અને આ દેશનો કાનૂન છે. તેને લાગૂ ન કરવાનાં સપના જોઇ રહેલાઓ આ ભૂલ ન કરે. ગૃહમંત્રીએ સીએએને લાગુ કરવા માટે થઇ રહેલા વિલંબની વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે આ અંગે નિયમો બનાવી રહ્યાં છીએ. કોરોનાને કારણે તેને લાગૂ કરી શક્યા નહીં પરંતુ હવે કોરોના સમાપ્ત થઇ રહ્યો છે. હવે તેના પર કામ થશે. જો કે એવું નથી કે અમિત શાહે પહેલીવાર આ મુદે વાત કરી છે. આ પહેલા પણ તેમણે પોતાના અનેક ભાષણોમાં અમિત શા નાગરિતકા કાનૂનને લાગૂ કરવાની વાતનો ઉલ્લેખ કરી ચૂક્યાં છે.
પ્લેસિસ ઓફ વર્શિપ પર પણ આપ્યા જવાબો
આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહને પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને લઇને પણ સવાલો કરવામાં આવ્યા. જેના પર તેમણે કહ્યું કે મામલો હાલમાં કોર્ટમાં છે તેથી તેના પર ટિપ્પણી કરવું યોગ્ય નથી. કારણકે અયોધ્યા નિર્ણય બાદ જે વિવાદો સામે આવ્યાં છે તેમાં આ કાયદાને લઇને પડકારો પણ સામે આવ્યાં છે. હું માનું છું કે કાયદો કોર્ટની લીગલ સ્ક્રુટની પાસે જ હોવી જોઇએ. સરકાર તેના પર પોતાનો જવાબ જમા કરાવશે.
ચીનને લઇને બોલ્યા અમિત શાહ
ચીનને લઇને અમિત શાહ બોલ્યાં તે ચીન સાથે સીમા વિવાદ ઘણો જૂનો છે. આજે જે પ્રશ્નો ઊઠી રહ્યાં છે તેમના સમયમાં ચીનમાં એક લાખ એકડથી વધુ ભૂમી ચાલી ગઇ તેમણે ઇતિહાસ વાંચવો જોઇએ. જ્યાં સુધી અમારી સરકારની વાત છે તો અમે પ્રતિબદ્ધ છીએ કે એક ઇંચ જમીન પણ વિદેશનાં હાથમાં નહીં જઇ શકે.