કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મલ્ટીપર્પઝ આઇડી કાર્ડની વાત કરી છે. આ કાર્ડમાં પાસપોર્ટ, આધાર અને વોટર કાર્ડ એ તમામ કાર્ડ એકમાં જ આવી જશે. દેશમાં આ સમયે આધાર, પાસપોર્ટ અને વોટર કાર્ડ જેવાં અનેક ID કાર્ડ છે કે જેને એડ્રેસ અને ફોટો ઓળખપત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અમિત શાહે આ તમામ કાર્ડને હવે એક જ કાર્ડમાં ઉપયોગ કરવાનો આઇડીયા આપ્યો છે.
આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર કાર્ડ માટે બનાવી શકાય યૂનિવર્સલ કાર્ડઃ અમિત શાહ
કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ જવા પર આપોઆપ જાણકારી પોપ્યુલેશન ડેટામાં થાય શામેલઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ જે આઇડીયા આપ્યો છે તે અનુસાર તેઓ ઇચ્છે છે કે આધાર (Aadhaar), પાસપોર્ટ (Passport) , ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર કાર્ડ જેવાં અલગ-અલગ કાર્ડને એક જ કાર્ડમાં સમાવેશ કરવામાં આવે. એટલું જ નહીં તેઓએ આઇડીયા આપ્યો છે કે બેંક એકાઉન્ટને પણ આ કાર્ડ સાથે જોડી દેવામાં આવે.
તેમણે કહ્યું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીજીનાં દેશનાં પ્રધાનમંત્રી બન્યા બાદ અમારી વિચારવાની ક્ષમતામાં ફેરફાર થવા લાગ્યો. દેશને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે, આવાં પ્લાનિંગની શરૂઆત 2014 બાદ થઇ. આનાંથી જનગણના રજિસ્ટરનાં સાચા ઉપયોગની શરૂઆત થઇ.
દર 10 વર્ષમાં થનારી જનગણના પણ વર્ષ 2021માં થવાની છે. એવામાં અમિત શાહે જણાવ્યું કે, 2021ની જનગણના ઘર-ઘર જઇને નહીં પરંતુ મોબાઇલ એપને આધારે થશે. તેઓએ કહ્યું કે, કોઇ એવી સિસ્ટમ પણ હોવી જોઇએ કે જેમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ જવા પર તે જાણકારી આપોઆપ પોપ્યુલેશન ડેટામાં જોડાઇ જાય.
અમિત શાહ (Amit Shah) એ કહ્યું કે, દેશનાં સામાજિક પ્રવાહ, દેશનાં અંતિમ વ્યક્તિનાં વિકાસ અને દેશનાં ભવિષ્યનાં કામનાં આયોજન માટે જનગણના આધાર છે. જનગણનાનો ડિજિટલ ડેટા હોવાંથી અનેક પ્રકારનાં વિશ્લેષણ માટે આનો ઉપયોગ કરી શકે છે. અનેક ફેરફાર અને નવી પદ્ધતિ બાદ આજે વસ્તી ગણતરી (census) ડિજિટલ થવા જઇ રહી છે.
Union Home Minister, Amit Shah: Population census is not a boring exercise. It is an exercise that helps to provide people the benefits of the government schemes. National Population Register (NPR) will help government solve many issues in the country. pic.twitter.com/9pcucorhaR
2021માં વસ્તી ગણતરી માટે થશે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ વસ્તી ગણતરી 1865માં કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે 16મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આજે વસ્તી ગણતરી ઘણા ફેરફારો અને નવી પદ્ધતિઓ પછી ડિજિટલ થઈ રહી છે. 2021માં યોજાનારી વસ્તી ગણતરીમાં અમે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીશું.
ડિજિટલ ડેટાથી વિશ્લેષણમાં મળશે મદદ
શાહે કહ્યું કે વસ્તી ગણતરીના ડિજિટલ ડેટાનો ઉપયોગ ઘણા પ્રકારના વિશ્લેષણ માટે કરી શકાય છે. વસ્તી ગણતરી દેશના સામાજિક પ્રવાહને ગોઠવવા, દેશના છેલ્લા વ્યક્તિના વિકાસ અને દેશના ભાવિ કાર્ય માટેનો આધાર છે. ગૃહ પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદી 2014માં દેશના વડા પ્રધાન બન્યા પછી આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થયું. દેશને સમસ્યાઓથી મુક્ત કરવા માટે આ પ્રકારનું આયોજન 2014 પછી શરૂ થયું હતું. આનાથી વસ્તી ગણતરીના રજિસ્ટરનો સાચો ઉપયોગ કરવાની શરૂઆત થઈ.