અમિત શાહ લગભગ ચાર દાયકા જૂની આ ઘટનાને યાદ કરતા કહ્યું કે, "હું અહીં વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમ માટે આવ્યો હતો જ્યારે હિતેશ્વર સૈકિયા દ્વારા અમને ખૂબ માર મારવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં
ચાર દાયકા જૂની ઘટનાની યાદને યાદ કરી
સુત્રોચાર કરતા અમને મારવામાં આવ્યો હતો: શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ શાહે દાવો કર્યો છે કે, ભાજપના શાસનમાં આસામ અને પૂર્વોત્તર ક્ષેત્ર શાંતિ અને વિકાસના માર્ગે આગળ વધ્યા છે. શાહે કહ્યું કે કોંગ્રેસના 70 વર્ષના શાસને પૂર્વોતર ભારતને હિંસા અને અરાજકતા તરફ ધકેલી દીધું હતું, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે તેને મુખ્યધારા સાથે જોડી દીધી છે.
માર મારવામાં આવ્યો હતો
અમિત શાહ લગભગ ચાર દાયકા જૂની આ ઘટનાને યાદ કરતા કહ્યું કે, "હું અહીં વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમ માટે આવ્યો હતો જ્યારે હિતેશ્વર સૈકિયા (આસામના તત્કાલીન મુખ્યમંત્રી) દ્વારા અમને ખૂબ માર મારવામાં આવ્યો હતો." અમે ઈન્દિરા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેથી અમને મારવામાં આવ્યા હતા. ત્યારે ભાજપ પોતાના દમ પર બે વાર જીતીને અહીં સરકાર બનાવશે તેવી કલ્પના પણ નહોતી કરી.
গুৱাহাটীত অনুষ্ঠিত কাৰ্যকৰ্তা সন্মিলনত সম্বোধন। Addressing the Karyakarta Sammelan in Guwahati, Assam. https://t.co/yO9MgFPyLO
9000 લોકોને હથિયાર મુકાવ્યા અને શાંતિ સ્થાપી
શાહે કહ્યું કે ભાજપ સરકારે આસામમાં 9 હજાર લોકોને હથિયાર હેઠાં કરાવીને શાંતિ સ્થાપિત કરી છે. શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાને પૂર્વોત્તર ક્ષેત્ર માટે બજેટ ત્રણ ગણું વધારી દીધું છે, જેના કારણે તમામ પ્રદેશોમાં માળખાગત વિકાસ થયો છે. નવા પાર્ટી કાર્યાલયનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, "ભાજપ કાર્યાલય માત્ર ઇંટ અને પથ્થરની ઇમારત નથી, પરંતુ તે પાર્ટીના કાર્યકરોના સમર્પણ, ભાવના, પ્રતિબદ્ધતા અને સખત મહેનતને દર્શાવે છે."
શાહે 102 પ્રાદેશિક કચેરીઓનો શિલાન્યાસ કર્યો
આ પહેલા શાહે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મળીને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ ભાવેશ કાલિતા, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા અને અન્યોની હાજરીમાં પાર્ટીના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી, નેતાઓએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલી છ માળની ઇમારતના તમામ માળની સમીક્ષા કરી હતી. નડ્ડાએ ડિજિટલી નવ જિલ્લા પાર્ટી કાર્યાલયોનો શિલાન્યાસ કર્યો હતો જ્યારે શાહે 102 પ્રાદેશિક કચેરીઓનો શિલાન્યાસ કર્યો હતો.