ઉત્તરપ્રદેશના ઝાંસીમાં નન સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગરમાયો છે, વિપક્ષ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
યુપીના ઝાંસીમાં થઈ ઘટના
કેરળની નનને ટ્રેનમાંથી ઉતારી દેવાઈ
ધર્મપરિવર્તનનો લગાવવામાં આવ્યો હતો આરોપ
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં ધર્મ પરિવર્તનના આરોપમાં કેરળની નનોના સમૂહને ટ્રેનથી ઉતારીને તપાસ કરવાનો મામલો ગરમાયો છે. આ મામલે કેરળના મુખ્યમંત્રીએ ઘટનાની ટીકા કરી અને કેન્દ્રીય ગૃહમંત્રીથી ઘટના સામે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે અમિત શાહે તપાસનો ભરોસો આપ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ આ મામલે સંઘ પર નિશાન સાધ્યું છે.
કેરળના મુખ્યમંત્રીએ અમિત શાહને લખ્યો પત્ર
કેરળના મુખ્યમંત્રીએ અમિત શાહને પત્ર લખીને આ ઘટનામાં સામલે લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે આવી ઘટનાઑથી દેશ છવિ ધૂમિલ થાય છે.
ગૃહમંત્રીએ આપ્યો ભરોસો
કેરળમાં એક સભાને સંબોધિત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નનોના સમૂહ સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું કેરળના લોકોને આશ્વાસન આપું છું કે આ મામલે દોષિતોને ખૂબ જલ્દી શકંજામાં લઈ લેવામાં આવશે.
રાહુલ ગાંધીએ સંઘ પર સાધ્યું નિશાન
આ ઘટના મુદ્દે રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે યુપીમાં કેરળની નન પર જે હુમલો કરવામાં આવ્યો તે સંઘ પરિવારના ઝેરીલા પ્રોપેગેન્ડાનું પરિણામ છે જે લઘુમતીઓને કચડીને એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવે છે.
શું છે મામલો?
નોંધનીય છે કે 19મી માર્ચે ઝાંસીમાં એક ટ્રેનમાં સફર રહેલી બે નનને ટ્રેનથી ઉતારીને પૂછપરછ માટે તેમની ધરપકડ કરવાં આવી હતી. બજરંગ દળ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે બે મહિલાઓને ધર્મ પરિવર્તન કરીને લઈ જવામાં આવી રહી છે જે બાદ આ કાર્યવાહી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ફરિયાદ નિરાધાર હતી જેથી ચાર મહિલાઓને છોડી મૂકવામાં આવી હતી અને બીજી ટ્રેનથી ઓડિશા માટે રવાના થઈ.