અરુણાચલના તવાંગમાં ચીનની ઘુસણખોરના મામલે રાજકીય ઘમાસાણ મચ્યું છે. આ મુદ્દે આજે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સંસદની કાર્યવાહી ખોરવી નાખતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ પર બરાબરના ભડક્યાં છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસની સરકાર દરમિયાન ચીને હજારો હેક્ટર ભારતીય જમીન પર કબજો કરી લીધો હતો પરંતુ ભાજપના શાસનમાં આવું ન થઈ શકે, તેમણે ઉમેર્યું હતું કે તવાંગમાં ચીની સૈનિકો સાથેની અથડામણ દરમિયાન, ભારતીય સૈનિકોએ અદમ્ય બહાદુરી દર્શાવી હતી અને કલાકોમાં જ તેમને ખદેડી મૂક્યા હતા.
#WATCH | Today there is a BJP government in the country. As long as our govt is there no one can capture even an inch of land. I salute the valour shown by our Indian Army troops on the intervening night of December 8-9 (in Arunachal Pradesh): Union Home Minister Amit Shah pic.twitter.com/hsBTJv8dcN
કોંગ્રેસને ચીની દૂતાવાસ પાસેથી ફંડ મળે- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આજે, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ચાલુ રહેવા દીધો ન હતો. હું તેની નિંદા કરું છું. "મેં પ્રશ્નોત્તરીકાળની યાદી જોઈ અને પ્રશ્ન નંબર 5 જોયા પછી, હું કોંગ્રેસની ગભરાટને સમજી ગયો. સવાલ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ)નું ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) લાઇસન્સ રદ કરવા અંગેનો હતો. જો તેમણે પરવાનગી આપી હોત તો મેં સંસદમાં જવાબ આપ્યો હોત કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2005-2007 દરમિયાન ચીની દૂતાવાસ તરફથી 1.35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, જે એફસીઆરએ મુજબ યોગ્ય ન હતી.
અમિત શાહે શું મોટા આરોપ કર્યો
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, નેહરુના ચીન પ્રત્યેના પ્રેમને કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદનું બલિદાન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચીન પ્રત્યે બેવડું વલણ ધરાવે છે. તેમણે કહ્યું કે, વિપક્ષ તેમાંથી એક મુદ્દો બનાવી રહ્યો છે, જે ન્યાય માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે જ્યારે આપણા બહાદુર સૈનિકો ગલવાનની અંદર ચીનીઓ સાથે અથડામણ કરી રહ્યા હતા, ત્યારે ચીની દૂતાવાસના એક અધિકારીને કોણ માહિતી મોકલી રહ્યું હતું? 2006માં ચીની દૂતાવાસે સમગ્ર અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો હતો. 25 મે, 2007ના રોજ ચીને કોંગ્રેસના સીએમ દોરજી ખાંડુને વિઝા આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, ચીને 2009માં મનમોહન સિંહની અરૂણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. 2010માં તેમણે કાશ્મીરના લોકોને સ્ટેપલ વિઝા આપવાનું શરૂ કર્યું હતું. 2011માં, ચીન તરફથી મળેલી ધમકીને પગલે કોંગ્રેસ સરકારે દેંગચોકમાં માર્ગ અને માળખાગત બાંધકામ બંધ કરી દીધું હતું. હું કોંગ્રેસને પૂછવા માગું છું કે જનતાની સામે ડબલ, ડુપ્લિકેશન ચાલતું નથી. લોકો જોઈ રહ્યા છે કે તેમની એફસીઆરએ નોંધણી સમાપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસના શાસનમાં હજારો કિલોમીટરની જમીન પચાવી પાડવામાં આવી છે. જનતા આ બધી વાતો જાણે છે. આ ભાજપની સરકાર છે, મોદી તેના પીએમ છે, જ્યાં સુધી ભાજપની મોદી સરકાર ચાલી રહી છે, ત્યાં સુધી કોઇ એક ઇંચ જમીન પર પણ કબ્જો કરી શકશે નહીં. 8-9ની વચ્ચેની રાત્રે હું સેનાના જવાનોએ બતાવેલી બહાદુરીની પ્રશંસા કરું છું.