જમ્મૂ-કાશ્મીરમાં દરરોજ કોઈને કોઈ ખૂણે પથ્થરબાજીએ સામાન્ય પરંતુ દેશહિત માટે અસાન્ય વાત બની ગઈ છે. આ માટે કાશ્મીર (Kashmir) નાં અલગતાવાદીનેતાઓ જ જવાબદાર છે. આ અલગતાવાદી નેતાઓ જ કાશ્મીરના યુવાનોમાં નફરતનું ઝેર ભરી રહ્યાં છે. અલગતાવાદીઓની ઉશ્કેરણીના કારણે જ સ્થાનિક નેતાઓ રોજરોજ સડકો પર ઊતરે છે. સુરક્ષાદળો પર પથ્થરમારો કરે છે અને દેશવિરોધી સૂત્રો પોકારે છે.
જમ્મૂ કાશ્મીરમાં કાશ્મીરી યુવાઓને આઝાદીના નામે ભટકાવવાનું કામ કરનારા અલગતાવાદી (separatists) નેતાઓની અસલી મંછા હવે ખુલ્લી પડી ગઈ છે. સ્થાનિક યુવાઓને દેશવિરોધી નારા શીખવનારા નેતાઓ તેમના સંતાનોને જીવનમાં સેટલ થવાનું ક્યારનાં શીખવી ચૂક્યાં છે. ગૃહમંત્રાલયે આ વાતની પોલ ખોલી નાખી છે અને આ વાત નજીકનાં ભવિષ્યમાં કાશ્મીરી યુવાઓનાં દિલ સુધી પહોંચશે ત્યારે અલગતાવાદી નેતાઓનો દિવસ આથમતા વાર નહી લાગે. ત્યારે જોઈએ આ અહેવાલ.
જમ્મૂ-કાશ્મીરમાં દરરોજ કોઈને કોઈ ખૂણે પથ્થરબાજીએ સામાન્ય પરંતુ દેશહિત માટે અસાન્ય વાત બની ગઈ છે. આ માટે કાશ્મીર (Kashmir) નાં અલગતાવાદીનેતાઓ જ જવાબદાર છે. આ અલગતાવાદી નેતાઓ જ કાશ્મીરના યુવાનોમાં નફરતનું ઝેર ભરી રહ્યાં છે. અલગતાવાદીઓની ઉશ્કેરણીના કારણે જ સ્થાનિક નેતાઓ રોજરોજ સડકો પર ઊતરે છે. સુરક્ષાદળો પર પથ્થરમારો કરે છે અને દેશવિરોધી સૂત્રો પોકારે છે. હકીકતમાં કાશ્મીરના આ યુવાનો અલગતાવાદી નેતાઓ માટે નફરતની રાજનીતિ ફેલાવનારી ફોજ બની ગઈ છે.
પરંતુ આ ભટકેલા યુવાનોને એ ક્યાં ખબર છે કે તેમને આમ સડકો પર ઊતારનારા નેતાઓ પોતાના સંતાનોને વિદેશી યુનિવર્સિટીઓમાં સેટલ થવા માટે ક્યારનાય રવાના કરી ચૂક્યા છે અને તેઓ હવે પરદેશમાં વેલસેટ થઈ ગયા છે. પરંતુ હવે આવા ભાગલાવાદ નેતાઓની મનની મેલીમુરાદ ખુલ્લી પડી ગઈ છે. તેઓ માત્ર ભારત સાથે જ નહીં પરંતુ કાશ્મીરી યુવાનોની જિંદગી સાથે પણ રમત રમી રહ્યાં છે.
ગૃહ મંત્રાલયે એવા ભાગલાવાદી નેતાઓની એક યાદી જાહેર કરી છે કે જેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં હોય. કાશ્મીરની ભાગલાવાદી સંસ્થા વહીદત એ ઈસ્લામીનો પ્રમુખ નિસાર હુસૈન તેનો પુત્ર ઈરાનમા રહે છે અને તેની પુત્રી પણ ઈરાનમાંજ નોકરી કરે છે. કાશ્મીરની અશાંતિથી દૂર. કાશ્મીરનાં યુવાનોનાં હાથમાં બંદૂક અને પથ્થર પકડાવનાર બિલાલ લોન જેની સૌથી નાની પુત્રી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહી છે. તહરિક એ હુરિયતનો ચેરમેન અશરફ સહરઈ તેના બન્ને પુત્રો ખાલિદ અને આબિદ સઉદી અરેબિયામાં કામ કરી રહ્યા છે. આ છે અમિર એ જમાતનો પ્રમુખ જીએમ ભટ્ટ તેનો પુત્ર સાઉદી અરેબિયામાં ડોક્ટર છે.
ભારત વિરૂદ્ધ સતત ઝેર ઓકતી આસિયા અંદ્રાબી જે દુખ્તરાન એ મિલ્લની વડી છે. તે કાશ્મીર યુવાનોને બંદુક હાથમા લેવાનું શીખવે છે પરંતુ તેના બન્ને દીકરા વિદેશમાં વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. એક પુત્રને મલેશિયા મોકલી દીધો છે જ્યારે બીજા પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલી દીધો છે. આ છે ડીપીએમનો વડો મોહમ્મદ શફી રેશી જેનો પુત્ર અમેરિકામાં પીએચડી કરી રહ્યો છે. તો તહરીક એ હુર્રિયતના અશરફ લાયાનો દીકરો પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે.
તહરિક એ હુરિયતનો જહુર ગિલાની જેનો પુત્ર સઉદી અરબની એરલાઈન્સમાં નોકરી કરી રહ્યો છે. તો હુરિયતનાં ચેરમેન મીરવાઈઝ ઉંમર ફારુકની બહેન અમેરિકામાં વેલસેટ છે. આ બધામાં મુસ્લીમ લીગનાં મોહમ્મદ યુસુફ મીર પોતાના પુત્રને અહીં રાખીને શું કરે? તેમણે પણ પોતાની પુત્રીને મેડિકલના અભ્યાસ માટે મોકલી આપી છે. માત્ર આટલાં જ નહીં પરંતુ સમગ્ર ઘાટીમાંથી 112 જેટલા અલગતાવાદી નેતાઓએ અને તેમને સમર્થન આપનારાઓએ પોતાના 220 જેટલા બાળકોને વિદેશમાં સેટ કરી દીધા છે અથવા તો અભ્યાસ માટે મોકલી દીધાં છે.
તમને જણાવી દઈએ કે આ એ નેતાની યાદી છે જે અલગ કાશ્મીરનાં નામે કાશ્મીર ખીણમાં સતત હિંસા ભડકાવી રહ્યાં છે અને સ્થાનિક યુવાનોને હાથો બનાવી રહ્યાં છે. આ જ નેતાઓ હંમેશા કાશ્મીરમાં બંધનું એલાન કરતા કરતા આવ્યાં છે. જો કે હાલમાં આ નેતાઓમાંથી કેટલાક નજર બંધ છે તો કેટલાકને જેલમાં ધકેલવામાં આવ્યાં છે. તો કેટલાંક નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા કેન્દ્ર સરકાર તરફથી પરત ખેંચી લેવામાં આવી છે.
અમિત શાહની આગેવાનીમાં ગૃહ મંત્રાલયે કાશ્મીરીઓ સામે અલગતાવીદીઓનો અસલી ચહેરો બેનકાબ કરવાની યોજના બનાવી છે. કાશ્મીરીઓને કુરબાની આપવાનું કહેનારા ભાગલાવાદી નેતાઓ આ બેધારી નીતિથી ખીણનો આગળ પડતો સમાજતો સારી રીતે પરિચિત છે જ પરંતુ હવે એવું લાગે છે કે ગૃહ મંત્રાલયની આ ભાગલાવાદી નેતાઓને બેનકાબ કરનાર યોજનાથી કાશ્મીરનો એક મોટો વર્ગ પ્રભાવિત થશે અને ભાગલાવાદીઓને કાશ્મીરમાં રહેવું મોંધું પડશે.