પશ્ચિમ બંગાળના ચૂંટણીના રણમાં આજે ગૃહમંત્રી શાહે જંગી સભા ગજવી અને મમતા બેનર્જી પર આકરા હુમલાઓ કર્યા હતા.
મમતા બેનર્જી પર શાહ'બાણ'
કૂચબિહારમાં ગજવી સભા
ગુંડાના દમ પર જીતે છે દીદી : શાહ
'મમતા બેનર્જી પણ શ્રીરામ બોલશે'
પ.બંગાળમાં અમિત શાહે ગજવી સભા
પશ્ચિમ બંગાળમાં આજે ફરીવાર ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને કૂચવિહારમાં રેલીને સંબોધિત કરી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ઐતિહાસિક હશે અને મમતા બેનર્જી ગુંડાઓના આધારે ચૂંટણી જીતે છે.
#WATCH | Such an environment has been created in Bengal that raising Jai Shri Ram slogans has become crime. Mamata Didi, if slogans of Jai Shri Ram are not raised here, will it be raised in Pakistan?: Union Home Minister Amit Shah in Coochbehar pic.twitter.com/FzzHMP2NUR
બંગાળમાં જય શ્રી રામ નહીં બોલે તો શું પાકિસ્તાનમાં બોલીશું-શાહ
નોંધનીય છે કે બંગાળમાં જય શ્રી રામના નારાને લઈને મોટો વિવાદ થઈ રહ્યો છે ત્યારે આજે મમતા બેનર્જી પર અમિત શાહે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે બંગાળમાં જય શ્રી રામ નહીં બોલીએ તો શું પાકિસ્તાનમાં જઈને બોલીશુ? હું કહું છું કે ચૂંટણી સમાપ્ત થશે ત્યાં સુધી તો મમતા બેનર્જી પણ જય શ્રી રામ બોલવા લાગશે. મમતા બેનર્જી માત્ર એક સમુદાયના વોટ માટે આ બધુ કરે છે પણ તેમણે ભારતના દરેક ધર્મનું સન્માન કરવું જ પડશે.
I am promising that till the time election ends Mamata didi will also say,'Jai Shri Ram': Union Home Minister Amit Shah in Coochbehar. #WestBengalpic.twitter.com/kgnPkfomCm
અમિત શાહે બંગાળની જનતાને અપીલ કરતાં કહ્યું કે તમે દસ વર્ષ સુધી ટીએમસીને મોકો આપ્યો હવે એક વાર નરેન્દ્ર મોદીને તક આપી જુઓ અમે પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા આપી દઇશું.
ચૂંટણી સમાપ્ત થયા બાદ મમતા બેનર્જી પણ જય શ્રીરામ બોલશે
બંગાળની જનતાને વાયદો કરતાં અમિત શાહે કહ્યું કે રાજ્યમાં સરકારની બનતા જ આયુષમાન ભારત યોજના લાગુ કરી દેવામાં આવશે. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા મે મહિનામાં કેન્દ્રની યોજનાઓને રોકી નહીં શકે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરનાર જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.
#WATCH | Mamata didi keeps on quarrelling with Modi ji, she even quarrelled during Subhash babu's program. It was Subhash babu's event, you could have refrained from politics there: Union Home Minister Amit Shah in Coochbehar pic.twitter.com/iCFWzW65ou
અમિત શાહે કહ્યું કે મમતા દીદી તમે આ ચૂંટણી નહીં જીતી શકો કારણ કે બંગાળની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન કરીને જ રહીશું. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી હશે કારણ કે ભાજપનો એક એક કાર્યકર્તા લડવા જઈ રહ્યો છે અને આ લડાઈ હવે દીદી જીતી નહીં શકે.