અમદાવાદ: લોકસભાની ચૂંટણીની હવે બે મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના નિવાસસ્થાનથી મેરા પરિવાર ભાજપ પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે.
અમિત શાહે થલતેજનના નિવાસસ્થાન રોયલ ક્રેસન્ટમાં ભાજપનો ધ્વજ ફરકાવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના દિગ્ગજ નેતાઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. થલતેજથી બોડકદેવમાં આવેલા દિન દયાલ હોલ સુધી રેલી નિકળી હતી. અમિત શાહે રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાર્યકર્તાઓને અમિત શાહે સંબોધન કરતા આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે થઇને ગુજરાતની 26 બેઠક જીતવાનો સંકલ્પ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અમદાવાદ ખાતે આવેલ પંડિત દિન દયાલ હોલ ખાતે યોજાયો હતો.
અમિત શાહના સંબોધનના અંશો
ગુજરાતની 26 બેઠકો જીતવાનો અમિત શાહે સંકલ્પ કરાવ્યો
ચૂંટણી માટેના સૌથી પહેલા કાર્યક્રમની આજથી શરૂઆતઃ અમિત શાહ
આ વખતે ગયા વખત કરતા પણ વધુ મતોથી જીતીશુઃ અમિત શાહ
લોકસભા ચૂંટણીના પહેલા સંગઠનાત્મક કાર્યક્રમની શરૂઆતઃ અમિત શાહ
5 કરોડ પરિવારો પોતાનું સમર્થન અત્યારથી જ ભાજપને આપી રહ્યા છેઃ અમિત શાહ
20 કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં: અમિત શાહ
ભાજપે લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ શરુ કરી દીધાઃ અમિત શાહ
આઝાદી બાદ 2.5 કરોડ ઘરોમાં વીજળી ન હતીઃ અમિત શાહ
22 કરોડ પરિવારને અમારી સરકારનો લાભ મળ્યો છેઃ અમિત શાહ
6 કરોડ પરિવારોએ ગેસનો લાભ લીધોઃ અમિત શાહ
50 કરોડ લોકોને આયુષ્યમાન ભારત સાથે જોડ્યા છેઃ અમિત શાહ
તમામ પરિવારોનો ભાજપ સંપર્ક અભિયાન થકી સંપર્ક કરશેઃ અમિત શાહ
સરકારી લાભો લેનાર પરિવારો સુધી ભાજપ પહોંચશેઃ અમિત શાહ
3 માર્ચે તમામ વિધાનસભા બેઠકો પર વિજય સંકલ્પ રેલીઃ અમિત શાહ
ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ અમે કર્યું છેઃ અમિત શાહ ગઠબંધનના નેતાઓને પૂછવા મંગુ છું કે તમારા નેતા કોણ ? - અમિત શાહ આ દેશ ને કોણ ચલાવશે એ ગઠબંધન વાળા જણાવેઃ અમિત શાહ ગઠબંધનની સરકાર બની તો દરરોજ નવા PM હશેઃ અમિત શાહ જે કાર્યકર્તા ઝંડો લગાવે એ સોશિયલ મોડિયા થકી તેનો પ્રચાર કરેઃ અમિત શાહ