અમિત શાહની આ બેઠકમાં NSA અજીત ડોભાલ અને કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક 2 કાલથી વધારે સમય સુધી ચાલી હતી. ગૃહમંત્રીને જમ્મુ અને કાશ્મીરની સમગ્ર પરિસ્થિતિની માહિતી આપવામાં આવી હતી અને LOC પર સુરક્ષા ખતરાઓની જાણકારી આપવામાં આવી હતી.
230 આતંકવાદી લોન્ચિંગ પેડના અહેવાલ
અમિત શાહે બોલાવી ખાસ બેઠક
જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે મેળવ્યો તાગ
આતંકી હોવાના અહેવાલ બાદ ગૃહમંત્રીની બેઠક
આ ઉપરાંત અમિત શાહને કાશ્મીર ઘાટીમાં શાંતિ જળવાઈ રહે તે માટે લેવામાં આવેલા પગલાઓની માહિતી આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં આવેલ લોન્ચિંગ પેડ પર 230થી વધુ આતંકવાદી હોવાની રીપોર્ટ મળ્યા બાદ આ બેઠક બોલવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા અવારનવાર ઘૂષણખોરી કરવામાં આવે છે ત્યારે આ બેઠક ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.
સીઝફાયરનું કરવામાં આવી રહ્યું છે ઉલ્લંઘન
પાકિસ્તાનના લોન્ચિંગ પેડ પર લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ, હિઝબુલના આતંકવાદીઓ હોવાની જાણકારી મળી છે અને પાકિસ્તાન સરહદે દરરોજ સીઝફાયરનું ઉલ્લંઘન કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુશાવાના પ્રયત્નો કરે છે. જમ્મુ કાશ્મીરના પૂંછ,રાજૌરી અને જમ્મુ સેક્ટરમાં સૌથી વધુ ઘૂષણખોરી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.
43 દિવસ બાદ પણ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ શકી નથી
5મી ઓગસ્ટે કલમ 370 ખતમ કર્યા બાદ સતત 43માં દિવસે પણ જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય થઇ શક્યું નથી. મોટા ભાગની દુકાનો બંધ રહી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રહ્યા હતા . ઈન્ટરનેટ સર્વિસ હજુ સુધી ચાલુ કરી નથી.
દર શુક્રવારે લાદવામાં આવે છે પ્રતિબંધ
કાશ્મીર ખીણ વિસ્તારમાં કુપવાડા અને હંદવાડામાં મોબાઈલ સેવાઓ શરુ કરવામાં આવી છે જયારે લેન્ડલાઈન સેવાઓ તો આખા કશ્મીરમાં કામ કરી રહ્યા છે. સુરક્ષાદળો દ્વારા દર શુક્રવારે વધુ પ્રતિબંધો લાદવામાં આવે છે જેથી મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય અને તનાવપૂર્ણ પરિસ્થિતિનું સર્જન થઇ શકે નહિ.
3 નેતાઓને રાખવામાં આવ્યા છે નજરકેદ
નોંધનીય છે કે જમ્મુ કશ્મીરના 3 પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મેહબુબા મુફ્તીને નજરકેદમાં રાખવામાં આવ્યા છે જયારે અલગાવવાદી નેતાઓને કસ્ટડીમાં લઇ લેવાયા છે.