કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને 1962માં આપવામાં આવેલી તેમની સલાહ સાંભળવી જોઇએ. તે સમય ભારત અને ચીન વચ્ચે યુદ્ધના કારણે ભારતને પોતાની ઘણા હેકટર જમીન ગુમાવી પડી હતી. અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો હતો. હરિયાણામાં 7 ઓક્ટોબરના રોજ કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત અને ચીન સરહદ વિવાદ પર ચાલી રહેલા તણાવને લઇને ટિપ્પણી કરી હતી.
એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતાં અમિત શાહે કહ્યું કે, 15 મિનીટની અંદર ચીનને બહાર નિકાળવાનું ફોર્મ્યુલાને વર્ષ 1962માં લાગુ કરી શકાઇ હોત. જો તે સમય આમ કરવામાં આવ્યું હોત આપણે કોઇ હેકટર જમીન ગુમાવી ન પડી હોત.
તત્કાલિન પ્રધાનમંત્રીએ આકાશવાણી પર 'બાય બાય આસામ' પણ કહી દીધું હતું. હવે કોંગ્રેસ અમને આ મુદ્દા પણ કેવી રીતે શિક્ષણ આપી શકે છે? જ્યારે તમારા પરનાના સત્તામાં હતા, ત્યારે આપણે ચીનની સરકારના હાથ પોતાાના ક્ષેત્રને ગુમાવી રહ્યાં હતા.
બિહાર રેજીમેંટના જવાનોને 15-16 જૂન દરમિયાન રાતે ગલવા ઘાટીમાં ચીનના ઘુસણખોરીને રોકવામાં આવી હતી, જેને લઇને અમિત શાહે કહ્યું, મને 16 બિહાર રેજિમેંટના સૈનિકો પર ગર્વ છે. ઓછામાં ઓછા અમારા કાર્યકાળ દરમિયાન, અમે મેદાનમાં રહ્યા અને અમે સંઘર્ષ કર્યો. આ સૈનિકોએ વિપરિત મોસમની સ્થિતિનો સામનો કર્યો અને આપણા દેશની રક્ષા કરી. ઉલ્લેખનીય છે આ દરમિયાન થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઇ ગયા હતા.
અમિત શાહે એમ પણ કહ્યું કે ભારતને આશા છે કે કૂટનીતિક ચર્ચના માધ્યમથી બંને દેશો વચ્ચે તણાવ સૌહાર્દપૂર્ણ સમાધાન નિકળી શકે છે. ઉલ્લેખનીય છે 7 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમે સત્તા પર હોત તો ચીન આપણા વિસ્તારમાં પગ મુકવાની હિંમત ન કરી શક.
નરેન્દ્ર મોદી કહે છે કે ભારતની જમીન પર કોઇએ કબ્જો કર્યો નથી. જો અમારી સરકાર હોત તો ચીનની સેનાને ખદેડીને બહાર ફેંકી દેત. જો કે હવે એ જોઇ રહ્યો છું કે આ કામ મોદી સરકાર ક્યારે કરશે પરંતુ જ્યારે અમારી સરકાર આવશે તો દેશની સેના 15 મિનીટમાં ચીનના સૈનિકોને બહાર ખદેડી મારશે.