કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. અહીં તેમણે મુજફ્ફરનગર રમખાણોની યાદ અપાવી હતી.
અમિત શાહ યુપીમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે
આજે મુજફફરનગરમાં અખિલેશ સરકાર પર પ્રહારો કર્યા હતાં
અગાઉની સરકારમાં થયેલા રમખાણો જનતાને યાદ કરાવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. અહીં તેમણે મુજફ્ફરનગર રમખાણોની યાદ અપાવી હતી. અમિત શાહે મુજફફરનગરમાં રમખાણોમાં જે પીડિત હતાં, તેમને આરોપી બનાવી હતાં અને જે આરોપી હતા તેમને પીડિત બનાવ્યા. પોલીસે વોટ બેંકને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી. હજારો ખોટા કેસ નોંધવામાં આવ્યા. આ મામલે ભાજપ મુઝફફરનગર રમખાણોમાં પીડિત સાથે ઊભા રહ્યા હતા. આ મુદ્દાને લઈને સંકેતોમાં અખિલેશ યાદવની પૂર્વ સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતાં.
વોટ આપવામાં ભૂલ કરતા નહીં, નહીંતર રમખાણો કરાવનારા સત્તામાં આવી જશે
અમિત શાહે કહ્યું કે, તે મુજફ્ફરનગર અને સમગ્ર પશ્ચિમી ઉત્તર પ્રદેશની જનતા પાસે પૂછવા આવ્યો છું કે, શું જનતા રમખાણોને ભૂલી ગઈ છે. જો નથી ભૂલ્યા તો વોટ આપવામાં ભૂલ કરતા નહીં. નહીંતર ફરીથી લખનઉની ગાદી પર રમખાણો કરાવનારા બેસી જશે. ભાજપના શાસનમાં અત્યાર સુધીમાં એક પણ રમખાણો થયા નથી. રમખાણો કરાવનારા જેલના સળિયાની પાછળ છે. તેમણે કહ્યું કે, ભાજપ ઉત્તર પ્રદેશમાં કાયદાનું રાજ સ્થાપવાનું કામ કર્યું છે. શાહે કહ્યું કે, અખિલેશ બાબૂને શરમ પણ નથી આવતી, કાલે અહીં કહીને ગયા કે, કાયદો અને વ્યવસ્થા યોગ્ય નથી. અખિલેશ બાબૂ આજે હું જાહેર કાર્યક્રમમાં આંકડા આપવા આવ્યો છું. હિમ્મત હોય તો, આપના સમયના આંકડા લઈને આવો.
उत्तर प्रदेश के मुजफ्फरनगर में प्रभावी मतदाताओं की बैठक को संबोधित कर रहा हूँ। https://t.co/bXPdbRwvPm
અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જો સપા અથવા બસપાની સરકાર બનશે તો, ફરી એક વાર માફિયા રાજ આવશે. જાતિવાદ આવશે. તેમણે કહ્યું કે, યોગી આદિત્યનાથની સરકારમાં અખિલેશની સરખામણીએ લૂંટના કિસ્સામાં 70 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, જો આપ ભાજપને મત આપશો, તો અમે યુપીને નંબર વન બનાવી દઈશું.
એક જાતિ અને એક પરિવારની વાત
શાહે કહ્યું કે, બસપાની સરકાર હતી તો એક જ જાતિની વાત થતી હતી. કોંગ્રેસ પરિવારની વાત કરે છે. સપા ગુંડાઓ અને માફિયાઓની વાત કરતા હતા. જો કે, હવે રાજ્યમાં સૌનો સાથ અને સૌનો વિકાસ થાય છે. ઉત્તર પ્રદેશમાં સૌ કોઈ સુરક્ષિત છે.