ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે જો આ વખતે બંગાળમાં ભાજપની સરકાર ન બની તો દેશની સુરક્ષા માટે એક મોટો ખતરો પેદા થશે.
દેશના ભવિષ્ય માટે બંગાળની ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ
પશ્ચિમ બંગાળમાં નોર્થ ઈસ્ટની એન્ટ્રી છે
ઘુસણખોરી રોકનાર સરકાર ન હોય તો દેશની સુરક્ષા માટે એક મોટો ખતરો બની રહે છે.
શાહે જણાવ્યું કે દેશના ભવિષ્ય માટે બંગાળની ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળમાં નોર્થ ઈસ્ટની એન્ટ્રી છે અને દેશની સીમા પણ અહીં છે. જો અહીં ઘુસણખોરી રોકનાર સરકાર ન હોય તો દેશની સુરક્ષા માટે એક મોટો ખતરો બની રહે છે.
અહીં 1977 થી અસંતોષના ભાવથી સરકાર ચાલી રહી છે
શાહે કહ્યું કે બીજી વાત એ છે કે અહીં 1977 થી અસંતોષના ભાવથી સરકાર ચાલી રહી છે. ભારત સરકાર સાથે કદી પણ સહયોગ કરાતો નથી. કોલકાતા બનામ દિલ્હીની લડાઈ શરુ કરવી અને બંગાળના વિકાસનો રોકવો.
અમિત શાહે ઉદાહરણ આપતા જણાવ્યું કે જેવી રીતે પ્રધાનમંત્રી મોદીએ દેશના તમામ ખેડૂતોને દર વર્ષે છ હજાર રુપિયા આપ્યાં છે પરંતુ અહીં અમે આપી રહ્યાં નથી. કારણ કે અમને યાદી જ મળી નથી. બંગાળ સરકારે આ સ્કીમની રોકી રાખી છે. 100 ટકા ઘરોમાં પાણી પહોંચાડવાની યોજના છે તે પણ ખોરંભે ચડી છે.
આસામમાં ભાજપ ઉમેદવાર અને ધારાસભ્યની કારમાંથી મળેલા EVM પર પ્રતિક્રિયા આપતી વખતે ગૃહમંત્રી અમિત શાહે આવો જવાબ આપ્યો હતો. અમિત શાહે જણાવ્યું કે મને આ કિસ્સાની ઝાઝી કંઈ ખબર નથી. હું સાઉથમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું. હું જાણકારી મેળવીશ. અમે ચૂંટણી પંચને કદી પણ કોઈ પગલું ભરતા રોક્યું નથી. જો આસામમાં આવું કંઈ થયું હોય તો ચૂંટણી પંચે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ.
શાહે જણાવ્યું કે વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટાગોર આખા દેશને જોડવાની કોશિશ કરી હતી. સુભાષચંદ્ર બોઝને દેશનું દરેક બાળક જાણે છે.તમિલનાડુમાં પણ ઘણા બાળકોના નામે તેમના નામે રખાયા છે. પ્રણવ મુખરજી આખા દેશના રાષ્ટ્રપતિ હતા. પરંતુ કમ્યુનિસ્ટોએ હલકી રાજનીતિ કરીને બંગાળને અલગ પાડવાનો સ્વભાવ રાખ્યો હતો.