જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક સભાને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમારી આ રેલી અને મોદી-મોદીના નારા તે એ લોકો માટે જવાબ છે જે આર્ટિકલ 370 પર સવાલ ઉઠાવતા હતા. "આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે. હું માતાની દરબારમાંથી કાશ્મીરની સમૃદ્ધિ માંગી રહ્યો છું.
CORRECTION | Today's rally and your 'Modi-Modi' chants are answers to those who said if Article 370* will be abrogated, there will be a blood bath: Union Home Minister Amit Shah, in Jammu and Kashmir's Rajouri
70 વર્ષ સુધી ત્રણ પરિવારોએ શાસન કર્યું
અમિત શાહે કહ્યું કે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરમાં વિકાસના કામને આગળ વધારી રહ્યા છે. અહીં 70 વર્ષ સુધી શાસન કરનારા ત્રણ પરિવારોને માત્ર પરિવારની ચિંતા હતી. અહીં માત્ર ત્રણ જ પક્ષોનું શાસન હતું જેને લોકોની ચિંતા ન હતી. તેમણે કહ્યું કે આ નરેન્દ્ર મોદીની સરકાર છે. તમારા અધિકારોને કોઈ દબાવી નહિ શકે.
સુખી કાશ્મીરના આશીર્વાદ
રાજૌરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આજે રેલી, મોદી.... મોદીના નારા એ લોકો માટે જવાબ છે જે કહેતા હતા કે જો કલમ 370 હટશે તો આગ લાગશે અને લોહીની નદીઓ વહેશે. તેમણે કહ્યું હતું કે, આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે, માતા વૈષ્ણોદેવીજીનાં દર્શન કર્યા પછી હું અહીં ખુશહાલ કાશ્મીરનાં આશીર્વાદ માંગીને આવ્યો છું.
J-K: Amit Shah offers prayers at Vaishno Devi temple in Katra
વિરોધીઓ પર શાહના પ્રહાર
રાજૌરી જિલ્લામાં સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 70 વર્ષ સુધી ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર રાજ કર્યું, લોકતંત્રનું નિર્માણ માત્ર તેમના પરિવારોમાં જ થયું. શું તમને બધાને ક્યારેય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો અધિકાર મળ્યો છે? ત્રણ પરિવારોએ લોકશાહીને લોકોથી દુર રાખી હતી.
શાહે મહાનવમીએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મહાનવમીના અવસર પર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વત પર પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. શાહની સાથે ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ પણ હતા. નવ દિવસના નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે માતાને જોવા માટે અમિત શાહ હેલિકોપ્ટર દ્વારા સાંઝી છત પહોંચ્યા હતા.
ઈંટરનેટ સેવા બંધ
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં મુલાકાત ને લઈને સુરક્ષા કારણોસર રજોરી જીલ્લામાં ઈન્ટરનેટ સેવા ઠપ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સી દ્વારા એવી આશંકા બતાવવામાં આવી હતી કે ઈન્ટરનેટનો ઉપયોગ દુર્ભાવનાપૂર્ણ દુરુપયોગ કરીને સાર્વજનિક વ્યવસ્થામાં ખલેલ પહોચાડી શકે છે. શાહની આ રેલી પહેલા જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ એચકે લોહિયાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેના ઘરેલુ નોકર પર હત્યાની શંકા છે.