દિલ્હીની સરહદ પરથી ખેડૂતોના હટવા પર સ્પષ્ટ કહેવાયું છે કે, જ્યારે ખેડૂતો પર નોંધાયેલા કેસ સરકાર પરત નહિ લે,ત્યાં સુધી તેઓ પાછા ફરવાના નથી, મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે.
દિલ્હીનું ખેડૂત આંદોલન 7 મી સુધી યથાવત
ખેડૂતો પર નોંધાયેલા કેસ પરત ખેંચવા માગણી
નેતાઓને બેઠક માટે બોલાવ્યા હતા અમિત શાહે
સંયુક્ત કિસાન મોરચાએ કિસાન આંદોલનનાં ભવિષ્યને લઈને સિંધુ બોર્ડર પર એક મહત્વની બેઠક કરી હતી.બેઠક બાદ ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેઓને પડતર માગણીઓ પર ચર્ચા કરવા બોલાવ્યા હતા. એ પછી વાત-ચિત માટે પાંચ નેતાઓની એક પેનલ બનાવી હતી.આંદોલનનું સ્વરૂપ, દશા અને દિશાને લઈને ખેડૂત સંગઠનો એ આ બેઠકમાં ચર્ચા કરી .સંયુક્ત કિસાન મોરચા એ ખેડૂતોની બાકી માગણીઓ પર સરકાર સાથે વાતચિત માટે પાંચ નેતાઓ ચૂંટી કાઢ્યા .જેમાં યુદ્ધવીર,અશોક થાવલે, બલબીર સિંહ રાજેવાલ,ગુરુનામ સિંહ ચઢુની,અને શિવકુમાર કક્કાના નામ શામેલ છે.
ટસના મસ નથી થતા ખેડૂતો
જો કે, દિલ્હીની સરહદ પરથી ખેડૂતોના હટવા પર સ્પષ્ટ કહેવાયું છે કે, જ્યારે ખેડૂતો પર નોંધાયેલા કેસ સરકાર પરત નહિ લે,ત્યાં સુધી તેઓ પાછા ફરવાના નથી. કિસાનનેતા દર્શન પાલ સિંહે આ માહિતી આપી હતી.તમામ ખેડૂત સંગઠન આ માગણી પર સહમત રહ્યા.
ખેડૂતોની આગામી બેઠક 7 મી એ
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કિસાન નેતાઓએ કહ્યું કે, મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે થશે. અને ત્યાં સુધી આંદોલન યથવાત રહેશે. ખેડૂતો MSP, છેલ્લા એક વર્ષમાં આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસ પરત ખેંચવા જેવી માગણીઓને લઈને હાલ,આંદોલન જારી રહેશે.
મંગળવારે,કેન્દ્ર એ સંયુક્ત કિસાન મોરચા પાસે MSP સહીત અન્ય મુદ્દાઓ પર વાતચીત માટે 5 નામ માંગ્યા હતા. એ જ દિવસે સંયુક્ત કિસાન મોરચાએ નિવેદન આપતા કહ્યું હતું કે, કેન્દ્ર તરફથી ફોન તો આવ્યો હતો પણ ઔપચારિક કોઈ સંદેશ નહોતો મળ્યો. સોમવારે જ સંસદમાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો પ્રસ્તાવ પાસ કરાયો હતો.
.