ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રવાસે હતા. જ્યાં તેઓએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડામાં એક જંગી ચૂંટણી સભા સંબોધી હતી. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કે.સી પટેલના સમર્થનમાં સભા સંબોધી હતી. સભામાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, ભાજપના ધારાસભ્યો ભરત પટેલ, અરવિંદ પટેલ હાજર રહ્યા હતા.
વલસાડ લોકસભા બેઠકની એક રાજકીય માન્યતા છે કે સામાન્ય રીતે માન્યતા છે કે વલસાડની બેઠક જીતે તેની દિલ્હીમાં સરકાર બને છે. ત્યારે આ બેઠક મેળવવા ભાજપ મરણિયા પ્રયાસ કરી રહ્યું છે. આ સભામાં વલસાડ જિલ્લાના ઉમરગામથી લઇને ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચેલા અમિત શાહ સભા મંચ પર પહોંચતા જ લોકોની બે હાથ જોડીને માફી માંગી હતી. અમિત શાહ એ અનેક મુદ્દે કોંગ્રેસ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા.
મહત્વપૂર્ણ છે કે વલસાડ લોકસભા બેઠકની એક માન્યતા છે કે વલસાડ બેઠક જીતે તેની દિલ્હીમાં સરકાર રચાય છે. આથી પોતાના સંબોધનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આ માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં અમિતશાહે એર સ્ટ્રાઈક દેશની સુરક્ષા સહિતના મુદ્દે કોંગ્રેસને પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં અમિત શાહે જણાવ્યું કે જ્યારે ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઇક બાદ આખા દેશમાં ઉજવણી જેવો માહોલ હતો. પરંતુ બે જગ્યાએ શોખ જેવો માહોલ હતો. એક પાકિસ્તાનમાં અને બીજો કોંગ્રેસની કાર્યાલયમાં શોક જેવો માહોલ હતો.
શાહે વધુમાં જણાવ્યું કે એર સ્ટ્રાઇક બાદ રાહુલ ગાંધીના માસીયાઈ ભાઈ મર્યા હતા તેવું મોઢું રાહુલ નું હતું. વલસાડએ દેશના પૂર્વ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની પણ જન્મભૂમિ છે. આથી અમિત શાહે પોતાના સંબોધનમાં દેસાઈને પણ યાદ કર્યા હતા.
આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું પણ ચૂક્યા ન હતા શાહે જણાવ્યું કે કોંગ્રેસ અને સોનિયા નેહરુ-ગાંધીની ગાંધી પરિવાર હંમેશા ગુજરાતનું અપમાન કરે છે. આમ અમિત શાહ પોતાની આગવી છટામાં વલસાડના લોકોને સંબોધી આ વખતે પણ ૨૩મી તારીખે ભારે મતદાન કરી ભાજપના ઉમેદવાર ડોક્ટર કે.સી પટેલને જંગી લીડથી જીત આવવા માટે આહ્વાન કર્યું હતું.