બિહારનાં સીતામઢીમાં ચૂંટણી રેલી દરમ્યાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કશ્મીરને લઇને વિપક્ષનાં નેતાઓ પર નિશાન સાધ્યું. ઉમર અબ્દુલ્લાને આડે હાથ લેતાં કહ્યું કે મહાગઠબંધનનાં નેતા કહે છે કશ્મીરમાં બીજા પીએમ હોવાં જોઇએ. તેઓ ઇચ્છે છે કશ્મીર ભારતથી અલગ હોવું જોઇએ. જો ક્યારેક અમારી સરકાર કદાચ ના પણ રહી તો પણ જ્યાં સુધી ભાજપનાં એક પણ કાર્યકર્તાનાં શરીરમાં જીવ છે ત્યાં સુધી કશ્મીરને ભારતથી કોઇ જ અલગ નહીં કરી શકે.
તેઓએ લાલુ-રાબડી સરકાર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે, લાલુ-રાબડીનાં રાજમાં બિહારમાં ગુંડાગર્દી, જાતિવાદ, અપહરણ અને બળાત્કાર થતા હતાં અને ઉદ્યોગ પણ નબળા ચાલતા હતાં. બિહારને આ જંગલરાજમાં મુક્તિ નીતિશકુમાર અને સુશીલ મોદીજીની જોડીએ આપી છે.
તેઓએ કહ્યું કે, જ્યારે લાલુ-રાબડી અને રાહુલ બાબનાં પરિવારનું સાસન ચાલતું હતું ત્યારે ગરીબ સારવાર કરાવવા માટે લાચાર હતાં. ગરીબ પાસે સારવાર માટે પૈસા ન હોતાં. આજે આયુષ્માન ભારત યોજનાથી દેશનાં અંદાજે 24 લાખ લોકોને મફત સારવાર કરાવવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યુ છે.