દિલ્હીમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી કેન્ટમાં ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
દિલ્લીમાં DRDOએ 12 દિવસમાં તૈયાર કરી કોવિડ-19 હોસ્પિટલ
ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યું નિરીક્ષણ
તેમની સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષ વર્ધન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખાસ હાજર રહ્યા હતા. ડીઆરડીઓના અધ્યક્ષ જી સતીષ રેડ્ડી પણ આ સમયગાળા દરમિયાન મંત્રીઓ સાથે હતા.
માત્ર 12 દિવસમાં તૈયાર કરાઇ હોસ્પિટલ
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, આ હોસ્પિટલ ડીઆરડીઓ, ગૃહ મંત્રાલય, ટાટા સન્સ ઉદ્યોગ અને અન્ય ઘણા સંગઠનોના સહયોગથી માત્ર 12 દિવસમાં બનાવવામાં આવી છે.
Visiting the 1000 Bed Sardar Patel COVID Hospital with 250 ICU Beds built in record time by DRDO & Tata Sons along with Raksha Mantri Shri @rajnathsingh ji. https://t.co/WHvV1wtALe
રાજનાથસિંહે કહ્યું કે 12 દિવસમાં જ કોરોનાના દર્દીઓ માટે 1 હજાર બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. અને WHOની ગાઇડલાઇન મુજબ 250થી વધુ ICU યૂનિટ્સ પણ ઉપલબ્ધ કરાયા છે.
દિલ્હીમાં આકાર પામી 1 હજાર બેડ઼ની હોસ્પિટલ
કેન્દ્રીયમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19 હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે હોસ્પિટલના અધિકારીઓને પણ વાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19 હોસ્પિટલમાં કઇ સુવિધાઓ આપવામાં આવી રહી છે.