હૈદરાબાદ વિશે ટિપ્પણી કરવી મંત્રીને ભારે પડી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીને અમિત શાહે ખખડાવ્યા હતા. અમિત શાહે જી. કિશન રેડ્ડીને વિવાદિત નિવેદનો ન કરવા માટે સુચના આપી હતી. મહત્વનું છે કે, રેડ્ડીએ હૈદરાબાદને આતંકીઓ માટે સેફ ઝોન ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રેડ્ડીએ NRCને માત્ર અસમને બદલે સમગ્ર દેશમાં લાગુ કરવાની માગ કરી હતી. રેડ્ડીના નિવેદન બાદ ઓવૈસીએ ભાજપ પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું કે, પાંચ વર્ષથી અહી સંપૂર્ણ શાંતિ છે. અહીં તમામ ધર્મના તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવાય છે. રેડ્ડીને તેલંગાણી અને હૈદરાબાદ પ્રત્યે દુશ્મની કેમ છે? તેવા વેધક સવાલો કર્યા હતા.
MoS (Home) G Kishan Reddy: There are places in country where terror activities are on a rise. If an incident takes place in Bengaluru, Bhopal, its roots are traced to Hyderabad. State police, NIA have arrested terrorists in Hyderabad every 2-3 months. I didn't say anything wrong. pic.twitter.com/EWvQiHJ8V9
ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીના આ નિવેદન મામલે ગૃહમંત્રી અમિતશાહે તેમને ખખડાવ્યા હતા. સૂત્રોનું માનીએ તો ગૃહમંત્રી અમિત શાહે પોતાના જૂનિયર મંત્રીને આ પ્રકારના નિવેદનો નહીં આપવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે, આ પહેલા ભાજપની સંસદીય દળની પહેલી બેઠકમાં જ વડાપ્રધાન મોદીએ આ બાબત પર ભાર મુકતા કહ્યું હતું કે, પાર્ટીના કોઇપણ નેતા અમુક પ્રકારના નિવેદનો ન આપે.
Asaduddin Owaisi, AIMIM: Since past 5 yrs there is peace here, there are no communal riots, religious festivals are peacefully celebrated, it is a growing city and he is speaking like that. What enmity do they have with Telangana, Hyderabad? Do they not like that it is growing? https://t.co/s6fveylyVj
આપને જણાવી દઇએ કે, રેડ્ડીના આ નિવેદનની હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પમ આલોચના કરી હતી. ઓવૈસીએ કહ્યું કે, હું તેમને પૂછવા માંગુ છું કે, NIA, IB અને RAWને કેટલીવાર લખવામાં આવ્યું છે કે, હૈદરાબાદ આંતક માટે સેફ જોન છે..? આ સાથે જ ઓવૈસીએ એમ પણ કહ્યું કે, હૈદરાબાદમાં ગત પાંચ વર્ષોમાં શાંતિ છે.