જનતા દળ યૂનાઇટેડ (જેડીયુ)ની ઇફતાર પાર્ટીને લઇને આપેલા નિવેદનને લઇને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગિરિરાજ સિંહને ફોન કરી આડે હાથ લીધા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટવિટ કરી નારાજગી વ્યક્ત કરતાં ગિરિરાજ સિંહને સૂચના આપી કે આ પ્રકારના નિવેદન ન આપે.
જ્યારે બીજી તરફ જેડીયુ પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ગિરિરાજ સિંહના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે તેઓ આ એટલા માટે કરે છે કે સમાચારમાં રહી શકે. આટલું જ નહીં પરંતુ જેડીયુ નેતાઓએ ગિરિરાજ સિંહ વિરુધ્ધ ભાજપ કાર્યવાહી કરે તેવી માગણી કરી.
આમ પોતાના વિવાદિત નિવેદનોને લઇને હમંશા ખબરમાં રહેતા ગિરિરાજ સિંહે નીતિશ કુમારની ઇફતાર પાર્ટીને લઇને આકરા પ્રહાર કર્યા હતા. જો કે આ નિવેદન બાદ બિહારના રાજકારણમાં ગરમાવો જોતા ગૃહપ્રધાન અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે સામે આવવું પડ્યું.
અમિત શાહે ફોન કરી ગિરિરાજ સિંહ સાથે અંગે ચર્ચા કરી આડે હાથ લીધા. સૂત્રોને મળતા અહેવાલ મુજબ અમિત શાહે ગિરિરાજ સિંહને ચેતવણી આપતાં કહ્યું કે ભવિષ્યમાં આવા પ્રકારની કોઇ ફરિયાદ ન આવવી જોઇએ.