ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે પાર્ટીના મોટા નેતા અમિત શાહ બંગાળના પ્રવાસ પર છે.
200થી વધારે બેઠકો સાથે સરકાર બનાવીશું : અમિત શાહ
બંગાળ નક્કી કરે કે પરિવારવાદ જોઈએ છે કે વિકાસવાદ : અમિત શાહ
એક મોકો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને આપો : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ. બંગાળના પ્રવાસ પર છે અને આ દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકાર જોરદાર હુમલાઓ કર્યા છે. સાથે જે તેમણે દાવો કર્યો કે હવે ભારતીય જનતા પાર્ટી 200થી વધારે બેઠકો સાથે સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે એક અવસર ભાજપને આપો, પાંચ વર્ષમાં બનાવીશું સોનાર બાંગ્લા.
અમિત શાહે કહ્યું કે આગામી ચૂંટણીમાં અમે 200 બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. વર્ષો પહેલા બંગાળે મમતાનાં હાથમાં કમાન આપી હતી. પણ મા, માટી અને માનુષનો નારો આજે તુષ્ટિકરણ, તાનાશાહી અને ટોલબાજીમાં પરિવર્તિત થઇ ગયો છે.
पश्चिम बंगाल में तुष्टिकरण की राजनीति से उसकी महान परंपरा आहत हुई है।
बंगाल पूरे देश के आध्यात्मिक और धार्मिक चेतना का केंद्र रहा है। यह गौरव फिर से बंगाल प्राप्त करे इसके लिए मैं सभी से आह्वान करता हूँ कि आप सब एकजुट और जागरूक होकर अपने-अपने दायित्वों का निर्वहन करें। pic.twitter.com/ZwEQ5fKMtZ
અમિત શાહે વધુમાં કહ્યું કે હું બંગાળની જનતાને આશ્વસ્ત કરવા આવ્યો છું કે તમે કોંગ્રેસનો મોકો આપ્યો, કમ્યુનિસ્ટને ઘણીવાર અવસર આપ્યા, આ સિવાય બે વાર મમતાને મોકો આપ્યો હવે એક મોકો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને આપો. અમે પાંચ વર્ષની અંદર સોનાર બાંગ્લા બનાવવાનો વાયદો કરીએ છે.
পশ্চিমবঙ্গের বাঁকুড়ায় 'সামাজিক সমূহ সংবাদ' সম্বোধন করলাম।
অন্ত্যোদয়ের নীতিমালা দ্বারা পরিচালিত, প্রধানমন্ত্রী @narendramodi জির নেতৃত্বে বিজেপি বাংলার দরিদ্র ও দরিদ্র জনগোষ্ঠীর জীবনে সমৃদ্ধি এবং ইতিবাচক পরিবর্তন আনতে তার পূর্ণ প্রয়াস করবে। pic.twitter.com/coRXWy7d93
અમિત શાહે કહ્યું કે અમારો લક્ષ્ય છે કે બંગાળમાં વિકાસ થાય અને દેશની સીમાઓ સુરક્ષિત થાય જેથી બંગાળમાં ઘુષણખોરો ન આવી શકે. બીજી તરફ મમતા બેનર્જીનું લક્ષ્ય કે આગામી ટર્મમાં ભત્રીજાના CM બનાવી દે. બંગાળે નક્કી કરવાનું છે જે પરિવારવાદ જોઈએ કે વિકાસવાદ.