23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે અને આ પહેલા મંગળવારે ભાજપના NDAના પક્ષોના નેતાઓ માટે દિલ્હીમાં ડિનરનું આયોજન કર્યું. આ દરમિયાન એક પ્રસ્તાવ પાસ કરીને પીએમ મોદીના નેતૃત્વ પર સૌએ ભરોસો વ્યક્ત કર્યો.
નેતૃત્વ પરિણામો પહેલા મંગળવારે ભાજપ દ્વારા આયોજિત NDA કરવામાં આવેલ ડિનર બેઠકમાં 36 સાથી પક્ષોના નેતા સામેલ થયા. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રાજનાથસિંહે આ દરમિયાન જણાવ્યું કે, 3 સહયોગી દળ આ ડિનરમાં નથી પહોંચી શક્યા તો તેમણે લેખિતમાં પોતાનું સમર્થન આપ્યું છે. ખાસ વાત એ છે કે એનડીએની મીટિંગ અને ડિનર ડિપ્લોમેસી બાદ એક પ્રસ્તાવ પાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન માત્ર પોતાના નેતા પસંદ કરવાની વાત કરી પરંતુ તેમના નેતૃત્વના વખાણ પણ કરવામાં આવ્યા. તમામ દળોએ પીએમ મોદી પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
Union Minister and BJP leader Rajnath Singh: Today, 36 NDA allies were present at the NDA leaders dinner today. 3 NDA allies who were not present today have given their support in writing. pic.twitter.com/ZO2MmZOB15
રાજનાથસિંહે વધુમાં કહ્યું કે ગત 5 વર્ષ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવાના હતા, હવે NDAએ નક્કી કર્યું છે કે આવનાર 5 વર્ષોમાં લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પીએમએ વિકાસના સંદર્ભમાં ક્ષેત્રીય અસંતુલનને દૂર કરવા પર પણ પ્રતિબદ્ધતા દર્શાવી.
NDA represents country's expectations, ambitions: Prime Minister Modi
તમને જણાવી દઇએ કે NDAની બેઠકમાં આગામી પાંચ વર્ષોમાં વિકાસ કાર્યો પર ચર્ચા એવા સમયે થઇ છે જ્યારે હાલ ચૂંટણી પરિણામો આવવાના બાકી છે.
રાજનાથસિંહે જણાવ્યું કે NDAની બેઠકમાં એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાન દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે NDAના સાચા અર્થમાં ભારતના સપનાઓ અને અપેક્ષાઓનું જોડાણ છે. પ્રસ્તાવમાં પીએમ અને તેમના મંત્રીઓના ઉલ્લેખનીય કાર્યો માટે શુભેચ્છા આપવામાં આવી. સાથે જ ભારતને વધુ સશક્ત બનાવવા માટે સરકારના કાર્યોના વખાણ કરવામાં આવ્યા.