એક્ઝિટ પોલમાં ભાજપ સમર્થિત એનડીએને મળેલ ભારે જીત બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવાર સાંજે 4 કલાકે કેન્દ્રીય મંત્રીપરિષદના ભાજપના મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 7 કલાકે અમિત શાહ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના નેતાઓને રાત્રિભોજન આપશે. મુલાકાતના આ બન્ને વખતે પીએમ મોદી પણ સાથે હશે.
રવિવાર સાંજે આવેલ એક્ઝિટ પોલમાં દેશના ખૂણે ખૂણામાં એનડીએને પ્રચંડ બહુમતિ મળતી દેખાય છે. યૂપી અને બંગાળમાં પણ ભાજપને સારી બેઠકો આવવાની શક્યતાઓ છે જ્યારે આ બન્ને પ્રદેશોમાં સ્થાનિક પાર્ટી દ્વારા ભાજપને મોટો પડકાર આપવાની વાત કરવામાં આવી રહી હતી.
એક્ઝિટ પોલના સર્વે અનુસાર એનડીએને 300 પાર બેઠકો જ્યારે યૂપીએને 100 આસપાર બેઠકો મળતી દેખાય છે, જ્યારે સપા-બસપાને 10-15 અને અન્યના ખાતામાં 59-79 બેઠકો જતી દેખાઇ રહી છે. જોકે દરેક એક્ઝિટ પોલમાં સરેરાશ આ પ્રમાણેના જ આંકડાઓ દેખાય છે.
સરકાર બનાવવા માટે પાર્ટી અથવા ગઠબંધનને 271 બેઠકોની જરૂર છે કારણ કે લોકસભા ચૂંટણી 543 બેઠકો માંથી 542 બેઠકો પર થઇ છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ નેતૃત્વ વાળી યૂપીએને 82થી 165 બેઠકો મળવાની વાત કહેવામાં આવી છે.