કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં છે. અમિત શાહે દક્ષિણ 24 પરગનામાં ભાજપની પરિવર્તન યાત્રાની લીલી ઝંડી બતાવી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે
દક્ષિણ 24 પરગનામાં ભાજપની પરિવર્તન યાત્રાની લીલી ઝંડી બતાવી
દીદીના કાન સુધી પહોંચી જાય જય શ્રીરામનો નારોઃ અમિત શાહ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાને હવે થોડો સમય બચ્યો છે અને રાજ્યનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં છે. અમિત શાહે દક્ષિણ પરગનામાં ભાજપની પરિવર્તન યાત્રાને લીલી ઝંડી બતાવી. અમિત શાહે નામખાનામાં ચૂંટણી સભાને સંબોધિત કરી અને કહ્યું કે, ભાજપની સરકાર બનતા તમામ માછીમારોને 6000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. શાહે ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું કે, ટીએમસીના ગુંડાઓએ ભાજપના 130 કાર્યકર્તાઓને મારી નાખ્યા છે. મહત્વનું છે કે, બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધ્યા બાદ હિન્દુ શરણાર્થીને ત્યાં અમિત શાહે ભોજન લીધું હતું. બંગાળમાં 200થી વધુ બેઠક જીતવા અમિત શાહનું મિશન
ચૂંટણીમાં અમારા 130 કાર્યકર્તા માર્યા ગયા છેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, અમ્ફાન વાવાઝોડા બાદ કેન્દ્ર સરકારે જે પૈસા મોકલ્યા, તેને TMCના ગુંડા ખાઇ ગયા. અમારી સરકાર બનશે તો આની અમે તપાસ કરીશું. મમતા સરકાર માત્ર ભત્રીજા વધારો અભિયાન ચલાવી રહી છે અને સામાન્ય લોકો પર ધ્યાન નથી દેવામાં આવી રહ્યું. ભાજપ નેતાએ કહ્યું કે, ચૂંટણીમાં અમારા 130 કાર્યકર્તા માર્યા ગયા છે, ભાજપની સરકાર આવશે તો પાતાળમાંથી શોધીને તેને સજા આપીશું. ટીએમસીના રાજમાં રાજકીય હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
માછીમારોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, ભાજપની સરકાર બનવા પર માછીમારોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે, જેવી રીતે ખેડૂતોને સન્માન નિધિ મળે છે. શાહે કહ્યું કે, બંગાળના ઉત્તરાયણ મેળાને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપીશું.
બંગાળના નામખાનામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમે બંગાળમાં તુષ્ટિકરણ ખતર કરીશું જેથી લોકો સરસ્વતી પૂજા-રામનવમી મનાવી શકશે. બંગાળની પરિસ્થિતિ ખરાબ કરી દેવામાં આવી છે, અહીં ભાજપની સરકાર બનશે તો કેન્દ્રની મોદી સરકાર સાથે ડબલ એન્જિન સરકાર આગળ વધશે. અમારી સરકાર આવવા પર સરકારી કર્મચારીને સાતમુ પગાર પંચ આપવાનું કામ કરીશું.
એક-એક ઘુષણખોરને દેશની બહાર કાઢીશુંઃ અમિત શાહ
રેલીમાં અમિત શાહે કહ્યું કે, ટીએમસી સરકારે બંગાળમાં ઘુસણખોરોને જગ્યા આપી, અમારી સરકાર એક-એક ઘુષણખોરોને બહાર કાઢી નાખશે. બંગાળમાં દુર્ગા પૂજા કરવા માટે આજે કોર્ટમાં પરમિશન લેવી પડે છે. ભાજપના દબાણ બાદ મમતા બેનર્જી પણ સરસ્વતી પૂજન કરી રહી છે, મને આનાથી બહુ જ ખુશી થઇ.
પશ્ચિમ બંગાળમાં મહિલાઓને 33 ટકાથી વધુ અનામત મળશેઃ અમિત શાહ
અમિત શાહે વાયદો કર્યો કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને 33 ટકાથી વધુ અનામત મળશે. તમે કમ્યુનિસ્ટોને પણ મોકો આપ્યો, તૃણમૂલને પણ મોકો આપ્યો. બસ એક વખત ભાજપને મોકો આપી જુઓ. માત્ર 5 વર્ષમાં બંગાળને બદલીને રાખી દઇશું.
BJP govt will provide more than 33% reservation to the women in West Bengal: Union Home Minister Amit Shah, at the launch of fifth Poribortan Yatra in Kakdwip of South 24 Parganas district pic.twitter.com/VJrKmtXspb
જય શ્રી રામનો નારો અમારી યાત્રાનું પ્રતિકઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, જય શ્રી રામનો નારો લાગે છે, તો દીદી બોલે છે કે તેમનું અપમાન કરે છે. અમિત શાહે ટીએમસીને ઘેરતા રેલીમાં જય શ્રી રામના નારા પણ લગાવ્યા. શાહે કહ્યું કે, આ નારા અમારી યાત્રાનું પ્રતિક છે.