મહત્વનું છે કે પાંચ દિવસમાં ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બે વાર મુલાકાત લીધી છે.
20-21 જૂનના અમિત શાહ આવશે ગુજરાત
ભાજપમાં બેઠકોનો ધમધમાટ
ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક
ભાજપમાં બેઠકના ધમધમાટ બાદ અમિત શાહ આવશે ગુજરાત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે, પહેલા ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો ત્યાં બીજી તરફ પાટીદારોએ ખોડલધામમાં મોટી બેઠક કરીને ખળભળાટ મચાવી દીધો. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવ્યા અને ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
યાદવની વન ટુ વન બેઠક બાદ અમિત શાહ ગુજરાત આવશે
ભાજપમાં બેઠકના ધમધમાટ બાદ અમિત શાહ ગુજરાત આવી રહ્યાં છે. 20 અને 21 જૂનના અમિત શાહ ગુજરાત આવશે. મહત્વનું છે કે પાંચ દિવસમાં ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બે વાર મુલાકાત લીધી છે અને સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક કરી છે. ભૂપેન્દ્ર યાદવની વન ટુ વન બેઠક બાદ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકનો ધમધમાટ શરૂ થઇ ગયો છે ત્યારે બે દિવસમાં અમિત શાહ ભાજપના નેતાઓ સાથે બેઠકો કરી શકે છે. નોંધનીય છે કે અમદાવાદમાં બ્રિજના ઉદ્ધાટન માટે અમિત શાહ ગુજરાત આવી રહ્યાં છે.
રથયાત્રા કરવી કે નહીં તેનો ઉકેલ આવી તેવી શક્યતા : સૂત્ર
નોંધનીય છે કે ગાંધીનગરમાં અમિત શાહ આદર્શ ગામ તરીકે પસંદ પરેલાં પાલ અને કોલવડામાં રસીકરણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે. આ સાથે જ વસંત કુવરબા હાઇસ્કૂલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે. નોંધનીય છે કે માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહના પ્રવાસ બાદ અમદાવાદમાં રથયાત્રા યોજવી કે નહીં તે મુદ્દાનો પણ ઉકેલ આવી શકે છે.