નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના અને નેતાઓ આજે મંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ કાર્યક્રમમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપશે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવનાર અમિત શાહ મોદીના મંત્રી મંડળમાં સામેલ થશે તેવા સંકેત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપ્યા છે.
જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી મંડળમાં મજબૂત સાથી તરીકે સામેલ થવા પર અમારા પથદર્શક અને માર્ગદર્શ શ્રદ્ધેય શ્રી અમિત શાહજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને શુભકામના આપી.
प्रधानमंत्री श्री @narendramodiजी के नेतृत्व में केन्द्रीय मंत्री मंडल में मजबूत साथी के रूप में सामेल होने पर हमारे पर्थदर्शक एवं मार्गदर्शक श्रध्देय श्री @AmitShahजी से शुभेच्छा मुलाकात की और शुभकामनाएं दी। pic.twitter.com/ckzJKEeBA9
મહત્વનું છે કે મોદી કેબિનેટમાં કયા નેતાને કયું મંત્રી પદ મળે છે તેને લઇનો સૌની નજર છે. તેમાં સૌથી મોટું નામ છે અમિત શાહ. મોદી બાદ ભાજપમાં અમિત શાહ બીજા નંબરે છે. ત્યારે કેબિનેટમાં પણ અમિત શાહને બીજા નંબરનું સ્થાન મળે તે નક્કી છે.
એક જ દિવસમાં PM અને અમિત શાહ વચ્ચે બીજી વખત મુલાકાત
એક જ દિવસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે બીજી વખત મુલાકાત થઈ હતી. અમિત શાહ મોદીને મળવા માટે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અગાઉ સવારે પણ અમિત શાહે મોદી સાથે મુલાકાત કરી હતી .
ગુજરાતના નેતાઓ પણ આપશે હાજરી
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી છે કે, આજે એતિહાસિક દિવસ છે. બીજી વખત સરકાર બનવા જઈ રહી છે. આજે ભારતીય જનતા પાર્ટી માટે ગૌરવનો દિવસ છે.