ભારત આઝાદ થયા જમ્મૂ કશ્મીરમાં કલમ 370 હટાવીને ઐતિહાસિક કામ કર્યું છે. ત્યારે મોદી સરકાર વધુ એક ઉત્તમ પ્રયાસ કરી રહી છે. અમિત શાહ 15 મી ઓગસ્ટે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી જમ્મૂ કશ્મીરમાં કરશે તેવી શક્યતા છે.
ગૃહમંત્રી અમિત શાહ આ વખતે જમ્મુ-કશ્મીરમાં 73 સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે તેવી શક્યતા છે. 14 ઓગષ્ટ સાંજે શાહ શ્રીનગર માટે રવાના થાય તેવી શક્યતા છે. કલમ-370 હટાવ્યા બાદ આ વખતે 15મી ઓગષ્ટે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાઈ શકે છે. આ ઘટનાના સાક્ષી અમિત શાહ પણ બની શકે છે.
બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના અધ્યક્ષ નીતીશ કુમારે પણ તેનું સમર્થન કર્યું છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કલમ 370 હટાવવાની સાથો સાથ જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ પાડીને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા છે. હવે જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસ પર લાલ કોક જઈને તિરંગો ફરકાવે તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલુ બીજુ ઐતિહાસિક પગલુ હશે.
શ્રીનગર બાદ અમિત શાહ 16 અને 17 ઓગષ્ટે લદ્દાખના પ્રવાસે જશે. કેન્દ્ર 15 ઓગષ્ટે કાર્યક્રમની તૈયારીને લઈને આંતરીક ચર્ચા કરી રહ્યું છે. અજીત ડૉભાલ હાલ કશ્મીર ખીણમાં લોકો વચ્ચે જઈને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.
આ અગાઉ પાકિસ્તાનના આતંકી સંગઠનો તરફથી ધમકીઓ મળવા છતાંયે 26 જાન્યુઆરી 1992માં તત્કાલીન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ શ્રીનગરના લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો હતો.
કશ્મીરમાંથી 370 દૂર કરવાનો વિરોધ કરી ચુકેલા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે અચાનક વલણ બદલ્યું છે, અને લાલ ચોકમાં તિરંગો લહેરાવવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. સંસદમાં કલમ 370 હટાવવાના વિરોધ બાદ JDU બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. પાર્ટીના અનેક નેતા આ વલણથી નારાજ હતાં. બાદમાં નીતીશ કુમાર પોતાનું વલણ બદલવા મજબુર બન્યા છે અને તેમણે અમિત શાહના નિર્ણયનું સમર્થન કર્યું છે.