કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે તેલંગાણામાં મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે સમાપ્ત થવાને આરે છે જેથી ટીઆરએસ પાસે હવે કોઈ વિકલ્પ નથી. સાથેજ તેમણે કહ્યું કે અમે કોઈ મજલિસથી પણ નથી ડરતા
અમિતશાહે તેલંગાણમાં આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ હવે સમાપ્ત થાવાને આરે : ગૃહમંત્રી અમિતશાહ
ભાજપ ઘર્મ આધારિત રાજનિતી ક્યારેય નથી કરતી
ગૃહમંત્રી અમિતશહે તેલંગાણાના મુક્તિ દિવસ પર ટીઆરએસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખરેખરમાં કોંગ્રેસ આખા દેશમાં સમાપ્ત થવા જઈ રહી છે. તો પછી તો ટીઆરસી કેવી રીતે વિકલ્પ બની શકે. સાથેજ તેમણે કહ્યું કે તેલંગાણામાં ટીઆરએસનો વિકલ્પ માત્ર BJP હોઈ શકે છે.
ભાજપ ક્યારેય ધર્મ આધારિત રાજનીતિ નથી કરતી : ગૃહમંત્રી
વધુમાં તેમણે કહ્યુ કે અમે કોઈ મજલિસથી પણ નથી ડરતા સાથેજ કહ્યું કે જે રીતે ટીઆરએસ સરકાર કામ કરી રહી છે. તે પરથી સાબિત થાય છે કે આવનારા સમયમા આ સરકારને અહીયાથી વિદાય લેવી પડશે. ઉપરાંત તેમણે ભાજપ ધર્મ આધારિત રાજનિતી ક્યારેય નથી કરતી. અને વિકાસના જે કામો વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યા છે. તેનું પરિણામ પણ ઘણું સારુ આવશે.
2024 પણ મોદી સરકાર આવશે : અમિત શાહ
આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે દેશની વિરુદ્ધમાં જે પાર્ટીઓ બોલી રહી છે. તેને જનતા જોઈ રહી છે. જેથી 2024માં પણ જનતા એકવાર ફી મોદી સરકારને પરત લાવશે. સાથેજ તેમણે કહ્યું કે ટીઆરએસની સરકાર એવું કહે છે કે તેઓ સમાજમાં બધી રીતે વિકાસના કામો કરી રહ્યા છે. પરંતુ જનતા તેમને જોઈ રહી છે.
આવનારો સમય ભાજપનો રહેશે : અમિત શાહ
ઉલ્લેખનીય છે કે અમિતશાહ એવું પણ બોલ્યા કે તેલંગાણામાં આજે જનતા પાસે વિકલ્પ તરીકે ભાજપ છે. સાથેજ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વિકાસમાં કોઈ કસર નતી છોડતી. ઉપરાંત તેમણે કહ્યું કે તેલંગાણામાં આવનારો સમય ભાજપનોજ છે. જે હૈદરાબાદ નગર નિગમની ચુટણીના પરિણામ પછી ખ્યાલ આવી જશે. સાથેજ તેમણે કહ્યું કે ઓવૈસીની પાર્ટી માત્ર સમાજને તોડવાનું કામ કરી રહી છે. જેથી જનતા પણ તેમને જરૂરથી પાઠ ભણાવશે.