શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો,અમે તેમને મોટું સ્થાન આપીશું-શાહ
સરકારમાં શંકર ચૌધરીને મોટું સ્થાન આપીશું-શાહ
વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપનું પ્રચાર અભિયાન બુલેટગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે થરાદમાં શંકર ચૌધરીના સમર્થનમાં સભા સંબોધી હતી. જયાં તેઑએ શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો હતો.
કોંગ્રેસે 370ની કલમને વ્હાલા દીકરાની જેમ સાચવી રાખી: શાહ
થરાદમાં જાહેરસભામાં ગૃહમંત્રી અમિત શાહએ શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો,અમે તેમને મોટું સ્થાન આપીશું. આમ સરકારમાં શંકર ચૌધરીને મોટું સ્થાન આપવા અંગે અમીત શાહે નિવેદન આપ્યું હતું. વધુમાં થરાદમાં ગૃહમંત્રી અમિત શાહએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે 370ની કલમને વ્હાલા દીકરાની જેમ સાચવી રાખી હતી. કોંગ્રેસની વોટબેંક કઈ છે તે તમને ખબર જ છે. નર્મદાનું પાણી બનાસકાંઠા સુધી પહોંચતા કોંગ્રેસે અટકાવ્યું હોવાનું પણ શાહે ઉમેર્યું હતું.
થરાદમાં ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસના નેતાઓ અહી આવે તો પૂછજો કે પાણી કેમ ન આપ્યું? મેધા પાટકરના ખભે હાથ મુકીને રાહુલ ગાંધી યાત્રા કરે છે. ત્યારે હવે પાણી અટકાવી રાખનાર કોંગ્રેસને માફ ન કરતા વધુમાં વિકાસ અને કોંગ્રેસને બંનેને એકબીજાથી કોઈ લેવાદેવા ન હોવાનું પણ શાહે કહ્યું હતું. કોંગ્રેસના સમયમાં 24 કલાક વીજળી પણ મળતી ન હતી. કે પાણી પણ મળતુ ન હતું. વધૂમાં લોકોને પ્રશ્ન કરતા કહ્યું હતું કે અંબાજી માતાનું મંદિર એક સમયે કેવુ હતુ જાણો છોને? જેથી આ વખતે આ વખતે કાચુ નહી કપાય તેવુ મોદી સાહેબને કહી દઉ?તેમ અંતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉમેર્યું હતું.