જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- 370 હટાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. રાજ્યસભા બાદ તેની સાથે જોડાયેલા બિલ પણ લોકસભામાં પસાર થઈ ગયું છે. આ મુદ્દે લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વોટબેંકની રાજનીતિને કારણે, આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરના વિકાસમાં અત્યાર સુધી અવરોધ સમાન હતો.
નવું સીમાંકન થશે
ઉલ્લેખનીય છે કે, તેમણે કહ્યું કે જ્યારે દેશભરમાં રાજ્યોની સીમાંકન તો ત્રણેય પાર્ટીઓએ કહ્યું કે, J&K નું સીમાંકન કરવામાં નહીં આવે. એવું કેવી રીતે હોઇ શકે..? જ્યારે જનસંખ્યા વધે છે કે પ્રતિનિધીઓની સંખ્યા વધે છે. પરંતુ આ ત્રણેય પાર્ટીએ વોટબેંકના કારણે આવું ન થવા દીધું. સંસદમાં અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદન 370 હટતા જ સીમાંકન કરવામાં આવશે.
ગૃહમંત્રીએ કહ્યું કે જળ કલ્યાણના જે પૈસા કેન્દ્રથી આવ્યા છે તેનાથી જનતાનો પુરો વિકાસ થઇ શકશે નહીં, કારણ કે 370 ની આડમાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો. આ પૈસા ક્યાં ગયા, અહીંના નેતાઓએ આ 370 ને ઢાલ બનાવીને ભ્રષ્ટાચાર આદર્યો છે.
ત્રણેય પક્ષોને 370 ની ચિંતા નથી, ફાઇલ ખુલવાની ચિંતા છે
પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે, 'ત્રણેય પક્ષોને 370 ની ચિંતા નથી, પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં જે ફાઇલો ખુલવાની છે તેની ચિંતા છે. કારણ કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ACBના હાથમાં કેટલીક ફાઇલો લાગી છે, જેના કારણે તેઓએ ઠંડીમાં પણ પરસેવો વળવા લાગ્યો છે. ' હકીકતમાં, ACBએ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જમ્મુ-કાશ્મીર બેંકમાં નિમણૂંક અંગે સવાલ-જવાબ કર્યા છે.
આ સિવાય અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર બેંકમાં એડમિનિસ્ટ્રેટર આવતાની સાથે જ કેટલાક લોકો પરેશાન થઈ ગયા. આમાં અસ્વસ્થ થવાની શું જરૂર છે? જ્યારે તમે કોઈ ગડબડ નથી કરી, તો પછી તમે શા માટે ચિંતિત છો? પોતાનો હવાલો આપતાં અમિત શાહે કહ્યું કે આખા દેશમાં ACB છે, પછી ભલે અમે પક્ષ હોઇએ કે વિપક્ષમાં, અમને કોઇ ચિંતા નથી.
આ ત્રણેય પરિવાર કોણ છે આખો દેશ જાણે છે- શાહ
જ્યારે લોકસભામાં કોંગ્રેસના સાંસદે અમિત શાહને પૂછ્યું, તમે જે ત્રણ પરિવારોની વાત કરો છો તે વિશે કહો. જેના જવાબમાં અમિત શાહે કહ્યું કે જો હું ત્રણ પરિવારોના નામ કહું તો તેઓ સ્તબ્ધ થઇ જશે, આ ત્રણેય પરિવારો કોણ છે તે આખો દેશ જાણે છે.