કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયે સંપર્ક અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 23 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લે તેવી સંભાવના છે.
ગૃહમંત્રાલયના સૂત્રોએ માહિતી આપી
૨૩ ઓક્ટોબરે અમિત શાહ જમ્મુની મુલાકાતે જાય તેવી સંભાવના
70 કેન્દ્રીય મંત્રીઓ રાજ્યની મુલાકાત લઈ રહ્યાં છે
70 કેન્દ્રીય મંત્રીઓ પછી હવે ખુદ ગૃહમંત્રી અમિત શાહ 23 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરમાં જઈને લોકસંપર્ક કેળવીને પરિસ્થિતિનો તાગ મેળવી તેવી સંભાવના છે. ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, અધિકારીઓએ મંગળવારે આ જણાવ્યું હતું. શાહ જમ્મુ-કાશ્મીર બંનેની મુલાકાત લેશે અને આ મુલાકાત ૨૩ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર વચ્ચે થવાની છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારના સંપર્ક અભિયાનના ભાગરૂપે ગૃહપ્રધાન આ મહિને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લે તેવી સંભાવના છે.
70 કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યાં છે
આ કાર્યક્રમ અંતર્ગત 70 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે. શાહ તેમની મુલાકાત દરમિયાન કાશ્મીર ખીણ અને જમ્મુના અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લઈ શકે છે અને વિવિધ વિકાસ કાર્યોનો તાગ લઈ શકે છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહપ્રધાન ઉચ્ચ સ્તરીય કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં પણ ભાગ લઈ શકે છે જેમાં પોલીસ, વહીવટીતંત્ર, અર્ધલશ્કરી દળો અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ શામેલ હશે. ઘણા કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા છે જ્યારે ઘણા લોકો જવાના છે.
લોકસંપર્ક સાધવાનો પીએમ મોદીનો મંત્રીઓને છે નિર્દેશ
જમ્મુ-કાશ્મીરની ૭૦ કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દૂરના વિસ્તારોમાં જવા અને સીધો જાહેર સંપર્ક રાખવા માટે અગાઉથી મંત્રીઓને નિર્દેશ આપ્યો હતો. આ મંત્રીઓને ત્યાંના લોકોની સમસ્યાઓ સાંભળવાની અને તેનો ઉકેલ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ કેન્દ્રમાં કેટલા વિકાસકાર્યો પૂર્ણ થયા છે તેની પણ તપાસ કરવી પડશે તેમ કહેવાય છે.