સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના વેચાણને અંતિમ મંજૂરી અઠવાડિયામાં મળી શકે છે. તેની જવાબદારી ગૃહ મંત્રી અમિત શાહની આગેવાની વાળા વરિષ્ઠ મંત્રીઓની સમિતિને આપવામાં આવી છે.
એર ઈન્ડિયાની 'ઘર-વાપસી' થઈ શકે
હવે અમિત શાહના હાથમાં એર ઈન્ડિયાનો મામલો
જાણો કેટલી હોઈ શકે છે કિંમત
પબ્લિક સેક્ટરની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાની 'ઘર-વાપસી' થઈ શકે છે. કંપનીના સંસ્થાપક ટાટા ગ્રુપે બીજા દાવેદારથી વધારે બોલી લગાવી છે. હોડમાં સ્પાઈસજેટના પ્રમોટર અજયની કન્સોર્ટિયમ પણ શામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના વેચાણને અંતિમ મંજૂરી અઠવાડિયામાં મળી શકે છે. તેની જવાબદારી ગૃહ મંત્રી અમિત શાહની આગેવાની વાળા વરિષ્ઠ મંત્રીઓની સમિતિને આપવામાં આવી છે.
રિઝર્વ પ્રાઈઝ 15,000થી 20,000 કરોડ રૂપિયાની વચ્ચે હોવાની સંભાવના
આ અઠવાડિયે આ સચિવોની સમિતિની બેઠકમાં રિઝર્વ પ્રાઈઝ નક્કી કરવામાં આવ્યું હતું. તેના 15,000થી 20,000 કરોડ રૂપિયાની વચ્ચે હોવાની સંભાવના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રુપની બોલી રિઝર્વ પ્રાઈઝથી વધારે અને અજય સિંહની આગેવાની વાળા કન્સાર્ટિયમથી ખૂબ વખારે છે. એર ઈન્ડિયા કોના હાથમાં જશે. તેના પર અંતિમ નિર્ણય વ્યવસ્થા હેઠળ મંત્રીઓનો સમુહ કરશે.
સમિતિમાં નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા શામેલ
મંત્રીઓની સમિતિની બેઠક અઠવાડિયામાં કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને વેચાણની પ્રક્રિયા આજ મહિને પુરી થવાની આશા રાખવામાં આવી રહી છે. એર ઈન્ડિયાના વેચાણનો નિર્ણય કરનાર મંત્રીઓની સમિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા શામેલ છે.