કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓએ આજે ગાંધીનગરના કલોલ ખાતે KIRC કોલેજ દ્વારા નિર્મિત 750 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.
અમિત શાહે કર્યું KIRC કોલેજ દ્વારા નિર્મિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત
હોસ્પિટલના ખાતમૂહુર્ત બાદ અમિત શાહે સભામાં કર્યું સંબોધન
આયુષ્માન ભારત યોજનાવાળાને પણ આનો લાભ મળશે: શાહ
ગાંધીનગરના કલોલમાં આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યા બાદ અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું કે, 'મારા મત વિસ્તાર કલોલમાં 2 મોટા અવસર છે. કલોલ, કડી, છત્રાલના શ્રમિકો અને નાગરિકો માટે હંમેશા હોસ્પિટલ ખુલ્લી રહેશે. આયુષ્માન ભારત યોજનાવાળાને પણ આનો લાભ મળશે. માંડવિયાએ મેડિકલ કોલેજ માટે પ્રક્રિયા પારદર્શક કરી છે. ટ્રસ્ટ હોસ્પિટલના બેડ બાદ એક અરજી મેડિકલ કોલેજ માટે પણ કરે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 500 બેડની હોસ્પિટલનું ઉદ્ધાટન થયું. PM મોદીએ આયુષ્માન ભારત યોજના શરૂ કરાવી.'
કોંગ્રેસના સમયમાં 387 મેડિકલ કોલેજ ને આજે 600થી પણ વધુ: શાહ
વધુમાં આ કાર્યક્રમના સંબોધન દરમ્યાન અમિત શાહે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'કોંગ્રેસીયા રાજ કરતા તો ડૉક્ટર બનાવવામાં પણ પૈસા કમાતા હતા. કોંગ્રેસના સમયમાં 387 મેડિકલ કોલેજ હતી કે જે આજે વધીને 600થી વધુ થઇ ગઇ છે. આ સાથે 10 નવી AIIMS બનાવવાની પણ જાહેરાત થઈ ગઈ છે.'
PM મોદીએ દેશના જન-જનની ચિંતા કરી: CM ભૂપેન્દ્ર પટેલ
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. જેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'જરૂરિયાતમંદ દર્દીઓનો સેવા યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે. હોસ્પિટલનું ભૂમિપૂજન વિસ્તારના લોકો માટે ઉપયોગી થશે. PM મોદીએ દેશના જન-જનની ચિંતા કરી છે. અમિત શાહ જ્યારે ગુજરાત આવે ત્યારે સંસદીય ક્ષેત્રને કંઈક ભેટ આપે છે.'