કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરના મોટી ભોયાણ ખાતે કેન્સર જાગૃતિ અભિયાનનો શુભારંભ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે
મોટી ભોંયણ ખાતે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત અને લોકાર્પણ
આ કાર્યક્રમમાં અડધો અડધો માતૃ શક્તિ ઉપસ્થિત છે-શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલ મતવિસ્તારમાં વિવિધ કામોના ઇ લોકાર્પણ કર્યા હતાં. બાદમાં કલોલના મોટી ભોંયણ ખાતે અમિત શાહ કેન્સર નિદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે આરોગ્યલક્ષી આંગણવાડી બહેનો અને મલ્ટી વર્કર હેલ્થ વર્કર ને તાલીમ આપવાના કાર્યક્રમનું લોકાર્પણ કર્યું હતું. તેમજ કેન્સરના નિદાન માટે સર્વે, સ્ક્રીનિગ અને સારવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આપણે એક નું એક કામ કરીએ તો કંટાળી જઈએ પણ મોદી સાહેબ નહી
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કાર્યક્રમને સંબોધતાં કહ્યું કે, આજે બે કાર્યક્રમોનું આયોજન થયું છે. 22 કરોડ થી વધુ ના નાના મોટા કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. 34 ગામો માં નાના મુદા ના નિવારણ આજે થશે. આ સુવિધાઓ થી આગળ પણ ફાયદો થશે. 7 ઓક્ટો.2001 થી યાત્રા શરૂ થઈ છે. અવિરત ચાલુ છે. નરેન્દ્રભાઈ રોજે રોજ ભારતની જનતાના વિકાસની યોજનાઓનો જ વિચાર કરે છે. 5 રાજ્યોની ચૂંટણીમાં ખાસો સમય ગયો. લાંબા સમય બાદ મળવાનું થયું છે. 4 રાજ્યો માં કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે. આપણે નરેન્દ્રભાઈને સારી રીતે ઓળખીએ છીએ આપણે એક નું એક કામ કરીએ તો કંટાળી જઈએ છે. પણ મોદી સાહેબ રોજ નવી યોજના નવા કામો કરે છે.
PM મોદીએ દેશના અનેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરાવી છે
કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ આપ્યા છે. જેમાં 5 લાખ સુધીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આજે દેશ માં મોટા મોટા ઓપરેશન આ કાર્ડ દ્વારા થયા છે. ગાંધીનગર જિલ્લામાં 34 કરોડ રૂ.આ કાર્ડ દ્વારા લોકો માટે ચુકવવામાં આવ્યા છે. કોરોનામાં 2 વર્ષ સુધી 5 કિલો વધારાનું અનાજ મફત આપવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઈએ દેશના અનેક જિલ્લામાં મેડિકલ કોલેજની હારમાળા સર્જી છે.
કેન્સર માટે સરકાર જાગૃત છે -શાહ
આજે કેન્સર માટે મહત્વના અભિયાન ની શરૂવાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર વહીવટી તંત્ર ઘરે ઘરે જશે અને પ્રાથમિક તપાસ કરશે. અને જો કોઈને લક્ષણ દેખાશે તો તેમની ત્વરિત સારવાર શરૂ કરાશે. જેથી જો વહીવટી તંત્ર ઘરે આવે તો તેમને સહયોગ આપજો. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો આગળનો ઈલાજ કરાવજો તેમણે વહીવટી તંત્રે જાણ કરી દરેક ગામના વ્યક્તિનું આરોગ્ય તપાસ થાય એ જરૂરી સૂચનો આપ્યા હતાં