ટેક્નોલોજીની સાથે દિવસે દિવસે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સાયબર સેલના આશ્વસત અને વિશ્વાસ પ્રોજેક્ટની આજથી શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે.
અમિત શાહ ગુજરાતના પ્રવાસે
વિશ્વાસ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ
ત્યારે હવે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિને પોલીસ સ્ટેશનને જવાની જરૂરી નથી. સાયબર ક્રાઇમ ઘટાડવા અને લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવતા લોકોને પકડવામાં આવશે.
છેતરપિંડીનો ભોગ બનતા લોકો માટે પ્રોજેક્ટ બનશે આશીર્વાદરૂપ
At the Inauguration of VISWAS and Cyber Aashvast Project in Gandhinagar, Gujarat. https://t.co/Zc0Mekszn8
નવનિર્મિત 7 જિલ્લાના નાગરિકોને 112 નંબર અને અન્ય રાજ્યના તમામ નાગરિકોને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ ઘરે પહોંચશે. ડિજીટલ ઈન્ડિયામાં છેતરપિંડીનો ભોગ બનતા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.
અમિત શાહનું નિવેદન
અમિત શાહે જણાવ્યું હતું કે, વિપક્ષના મિત્રો ઘણી વખત ટીકા ટિપ્પણી કરતા હોય છે તો વળી કેટલીય વખત ઘણા મિત્રો સાબિતી માગતા હોય, ફોટા માગતા હોય છે. દુનિયામાં 2 જ રાષ્ટ્રો એવા હતા જે પોતાના પર થયેલ હુમલાનો જડબાતોડ જવાબ આપતા હતા. એક અમેરિકા અને બીજું ઇઝરાયેલ ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ સૂચીમાં ત્રીજું નામ આપણા મહાન દેશ ભારતનું ઉમેરવાનો પ્રયાસ કર્યો છે.
આજે વિકાસના નામે ઓળખાય છે ગુજરાત
90 ના દાયકામાં ગુજરાતને કોમી રમખાણના નામે ઓળખવામાં આવતું હતું. જ્યારે હવે ગુજરાતની ઓળખ વિકાસના નામે થઇ રહી છે. આજની ગુજરાતની પેઢીએ કરફ્યુ જોયો જ નથી.
આ લોકાર્પણ સમયે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. ઉપરાંત રાજ્યના જિલ્લા તમામ જિલ્લાઓથી વીડિયો કોન્ફરન્સથી પોલીસકર્મીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની કામગીરીની પણ સમીક્ષા કરવાના છે.