અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ તીરથ સિંહ રાવતને ગુરુવારની સાંજે દેહરાદૂન પરત ફરવાનું હતું. પરંતુ અચાનક તેમની વાપસીનો કાર્યક્રમ ટળી ગયો છે.
તીરથ સિંહને અચાનક બોલાવવામાં આવ્યા દિલ્હી
શાહ અને નડ્ડા સાથે થઈ મીટિંગ
ભાજપ આવનાર ચૂંટણી માટે લઈ શકે છે મહત્વનો નિર્ણય
ઉત્તરાખંડમાં સત્તાધારી પક્ષ ભાજપા અને મુખ્ય વિપક્ષીદળ કોંગ્રેસ સાથે જોડાયેલા દરેક મહત્વના રાજકીય નિર્ણય દિલ્હી દરબારમાં અટકી પડ્યા છે. દરેકની નજર દિલ્હી પર છે. અડધી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને ગુરુવારની સાંજે દેહરાદૂન પરત ફરવાનું હતું. પરંતુ અચાનક તેમની વાપસીનો કાર્યક્રમ ટળી ગયો છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે તીરથ સિંહ રાવતનો વાપસીનો કાર્યક્રમ આ રીતે અચાનક ટળી જવા પાછળનું કારણ શું છે? શું છે ભાજપાની સ્ટ્રેટજી અને તીરથ સિંહ રાવતની સમસ્યાઓ?
પહેલો પ્રશ્ન એ કે તીરથ સિંહ રાવતને અચાનક દિલ્હી કેમ બોલાવવામાં આવ્યા?
30 જૂને તીરથ સિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને એ પણ અચાનક. તે બપોરે દિલ્હી પહોંચી ગયા અને લગભગ 10 કલાકની રાહ જોયા બાદ તેમની મુલાકાત જેપી નડ્ડા અને અમિત શાહ સાથે થઈ. મુલાકાત અમિત શાહના ઘરે થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચર્ચા ઉત્તરાખંડમાં લીડરશિપ અને આવતા વર્ષે થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને થઈ હતી. હકીકતે ભાજપ હાઈકમાન્ડ નથી ઈચ્છકા કે આ ચૂંટણી તીરથ સિંહ રાવતની આગેવાની હેઠળ લડવામાં આવે. ઉત્તરાખંડના દિગ્ગજ ભાજપના નેતા પણ તેના પક્ષમાં નથી.
શું મુખ્યમંત્રી બદલી શકે છે ભાજપ?
હકીકતે ભાજપની મુશ્કેલી એ છે કે ચૂંટણીના થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી બદલવાથી મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ભાજપ ચૂંટણી હારવાનું જોખમ ન લઈ શકે. માટે પહેલા પણ 2012માં ભાજપે ચૂંટણીના થોડા સમય પહેલા રમેશ પોખરિયાલ નિશંકને હટાવીને બીસી ખંડૂરીને ચીફ મિનિસ્ટર બનાવ્યા હતા. જોકે ભાજપ ત્યારે ચૂંટણી હારી ગઈ હતી.
તેમની રાજનૈતિક વિચાર ધારાને જોતા કહેવામાં આવ્યું છે કે ભાજપ આ વખતે પણ ટૂંક સમયમાં CMનો ચહેરો બદલી શકે છે. સૂત્રોએ ઉત્તરાખંડના વરિષ્ઠ ભાજપ નેતાનું નામ લીધા વગર કહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ સામે એવું કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય તેમની સાથે છે. એવામાં પાર્ટી નેતાઓની વચ્ચે મતભેદની સાથે ચૂંટણીમાં ન ઉતરી શકે.
હવે તીરથ સિંહ રાવતની સામે કઈ મુશ્કેલીઓ છે?
ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ તીરથ સિંહ રાવતે 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. હવે બંધારણીય કાયદા અનુસાર પૌડી ગઢવાલથી ભાજપ સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભા પેટાચૂંટણી જીતવાની રહેશે. ત્યારે તે CM પદ પર રહી શકશે. એટલે કે 10 સપ્ટેમ્બર પહેલા તેમણે ધારસભ્ય પદ જીતવું પડશે. અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તીરથ સિંહ ગંગોત્રીથી ચૂંટણી લડશે. AAPએ તો અહીં તેમના વિરૂદ્ધ પોતાના કેડિડેટ કર્નલ અજય કોઠિયાલને બનાવી દીધા છે.
વિધાનસભા ચૂંટણીને લઈને શું છે સ્થિતિ?
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ પેટાચૂંટણીને લઈને હજુ પણ ચૂંટણીપંચનો નિર્ણય આવવાનો બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી કોરોના સંક્રમણની સ્થિતિ પર જ નિર્ભર કરે છે. જોકે આ માટે તીરથ સિંહ રાવત પાસે લગભગ બે મહિનાનો સમય છે.