જબલપુરમાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ભાજપ સીએએ પર જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. ભાજપ આ જન જાગરણ અભિયાન એટલે ચલાવી રહ્યું છે કારણ કે કોંગ્રેસ પાર્ટી, કેજરીવાલ, મમતા બેનર્જી, સામ્યવાદીઓ બધા એકઠા થઈ રહ્યા છે અને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
જબલપુરમાં અમિત શાહની સભા
કમલનાથ સરકાર પર સાધ્યું નિશાન
મધ્ય પ્રદેશને યોગ્ય કરવાની આપી સલાહ
આજે હું કહેવા આવ્યો છું કે સીએએમાં ક્યાંય પણ નાગરિકત્વ છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી, તેમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે ભારત પર જેટલો મારો અધિકાર એટલો જ તમારો છે, તે જ અધિકાર પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી શરણાર્થીઓનો છે.
કમલનાથજી આટલું મોટોથી ન બોલો
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દેશ વિરોધી નારાઓ જે લોકો લગાવશે તે જેલમાં જશે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં મધ્યપ્રદેશના સીએમને ટોણો મારતા કહ્યું કે, 'કમલનાથ જી મોટેથી કહે છે કે સીએએ લાગુ નહીં પડે, ઓ કમલનાથ જી, મોટેથી બોલવાની આ ઉંમર નથી. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે. જો એટલું જ જોર હોયને તો પછી મધ્ય પ્રદેશને ઠીક કરો
कमलनाथ जी जोर-जोर से कहते हैं CAA लागू नहीं होगा।
अरे कमलनाथ जी ये जोर से बोलने की आयु नहीं है आपकी, स्वास्थ बिगड़ जाएगा आपका।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની લઘુમતીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે તમારી નાગરિકતા ખોવાઈ જશે. હું દેશના લઘુમતી ભાઈ-બહેનોને સીએએ વાંચવાનું કહેવા આવ્યો છું, ક્યાંય પણ નાગરિકત્વ છીનવી લેવાની જોગવાઈ નથી. તેમણે કહ્યું, 'જેએનયુમાં કેટલાક છોકરાઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, તેઓએ સૂત્રોચ્ચાર કર્યા કે - ભરત તારા ટુકડા થાય એક હજાર, ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ.' આવા લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ કે નહીં?
ગમે ત્યારે ભારત આપશે નાગરિકતા
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધારે દેશને વહેંચ્યો. ભાગલા વખતે, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ ભારત આવવાના હતા, પરંતુ તે સમયે તેઓ ત્યાં રહ્યા કારણ કે પરિસ્થિતિ બરાબર નહોતી. આપણા દેશના તમામ નેતાઓએ ખાતરી આપી હતી કે તમે હવે ત્યાં જ રોકાવ અને જ્યારે પણ તમે ભારત આવશો ત્યારે ભારત તમને નાગરિકત્વ આપશે.
અમિત શાહે જણાવ્યું હતું કે 2 જુલાઈ, 1947 ના રોજ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે લોકોને પાકિસ્તાનથી ભગાડવામાં આવ્યા હતા, જેઓ પાકિસ્તાનમાં રહેતા હતા, તેઓને જાણ હોવી જોઇએ કે તેઓ ભારતના નાગરિક હતા, જ્યારે પણ તેઓ ભારત આવવા માંગે ત્યારે તેમની નાગરિકતા આપશે.