અમિત શાહના જમ્મૂ-કાશ્મીરની મુલાકાતનો બીજો દિવસ છે. આ દરમિયાન અમિત શાહ આજે શહીદ જવાન અરશદ ખાનના પરિવારજનને મળવા પહોંચ્યા હતા. અરશદ ખાન 12 જૂનના રોજ અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થઇ ગયા હતા.
તેઓ અનંતનાગના એસએચઓ હતા. 12 જૂનના રોજ સાંજે મોટરબાઇક પર સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલો અનંતનાગના બસ સ્ટેન્ડ પાસેના કેપી રોડ પર થયો હતો. આ હુમલામાં CRPFનાં પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા.
Jammu & Kashmir: Union Home Minister Amit Shah arrives at the residence of Arshad Khan, SHO Anantnag in Srinagar, who lost his life in a terror attack on June 12. pic.twitter.com/VtgolG0e1B
આ હુમલાની જવાબદારી અલ ઉમર મુજાહિદ્દીન નામના આતંકી સંગઠને સ્વીકારી હતી. મૂળ કાશ્મીરનો રહેવાસી પાકિસ્તાન આતંકવાદી મુશ્તાક અહમદ ઝરગર આ સંગઠનનો અધ્યક્ષ છે. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી સરકારમાં જે ત્રણ આતંકવાદીઓને છોડવામાં આવ્યાં હતા તેમાં આ પણ હતો. જરગરને આ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) બે દિવસની જમ્મ-કાશ્મીરની મુલાકાતે ગઇકાલે પહોંચ્યા છે. પહેલા દિવસે અમિત શાહે અમરનાથ યાત્રાની સુરક્ષાને લઇ સમીક્ષા હાથ ધરી. ઉલ્લેખનીય છે કે 1 જૂલાઇથી અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. આજે અમિત શાહ પોતે અમરનાથ બાબાના દર્શને જાય તેવી સંભાવના છે.
આ સિવાય અમિત શાહ આજે ભાજપ (BJP) ના નેતા અને અધિકારીઓ સાથે બેઠક કરશે. અમિત શાહે આજે શહીદ જવાન અરશદ ખાનના ઘરે જઇ પરિવાર સાથે મુલાકાત કરી. અરશદ ખાન 12 જૂનના રોજ અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયા હતા. 12 જૂનના રોજ સાંજે મોટરબાઇક પર સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો.
કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મૂ-કાશ્મીર મુલાકાત છે. અમિત શાહે અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ કર્યો છે. 1લી જૂલાઇથી શરૂ થઇ રહેલી અમરના યાત્રાને હિંસા મુક્ત સુનિશ્ચિત કરવા દરેક પ્રકારના આવશ્યક પગલા ઉઠાવવા નિર્દેશ કર્યો છે.