ગૃહ મંત્રી અમિત શાહએ દાવો કર્યો છે કે જમ્મૂ અને કાશ્મીરમાં હવે એક ઇંચ જમીન પર પણ કર્ફ્યૂ નથી. જ્યારે આ કેન્દ્ર શાસિત ક્ષેત્ર (UT) ના ત્રણ મોટા નેતાઓ (નેશનલ કોન્ફરન્સ ચીફ ફારૂખ અબ્દુલ્લા, તેના દિકરા અને પૂર્વ CM ઓમર અબ્દુલ્લા અને PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તી) ને છોડવાને લઇને કહ્યું કે તેમને મારે છોડવાના નથી. આ કામ ત્યાં પ્રશાસનનું છે. જ્યારે તેઓને લાગશે કે સ્થિતિ સારી છે તો ત્રણેયને છોડી દેવામાં આવશે.
અમિત શાહે કહ્યું જમ્મૂ-કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યું નથી
રાજ્યના ત્રણ મોટા નેતાઓને મારે છોડવાના નથી
રાજ્યના પ્રશાસનનું આ કામ છે
અમિત શાહે આ નિવેદન 2020ના પહેલા ઇન્ટરવ્યુમાં જણાવી છે. અમિત શાહે કહ્યું કે CAA, NRC અને UCC ને લઇને ઝારખંડમાં હાર, રામ મંદિર અને જમ્મૂ-કાશ્મીર સુધી અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી.
નાગરિકતા વિવાદ પર મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હિંસા કેમ ન ભડકી? બધા લોકો સમજી રહ્યાં છે કે દેશમાં હિંસા કોણ ભડકાવી રહ્યું છે.
આ મુદ્દાઓ પર ભ્રમ અને ભયના માહોલને લઇને સ્પષ્ટતા કરી કે દેશમાં અત્યારે NRC આવી રહ્યું નથી, એટલા માટે તેને CAA સાથે જોડીને ન જોવો જોઇએ. સરકાર જ્યારે UNiform Civil Code પણ લાવશે, તો ગુપચૂપ નહી લાવે. અમિત શાહે કહ્યું કે કોઇપણ ભારતીયની નાગરિકતા જશે નહીં.
થોડા દિવસ પહેલા ઝારખંડ વિધાનસભામાં મળેલી હારને લઇને અમિત શાહે નિવેદન આપ્યું કે હા આ અમારી હાર છે. જ્યારે રામ મંદિર મુદ્દા પર ફરી અમિત શાહે કહ્યું કે મંદિર બનશે અને ભવ્ય બનશે.
અમિત શાહે કહ્યું કે 9 ફેબ્રુઆરી, 2020 પહેલા રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત કરી દેવામાં આવશે. આ ટ્રસ્ટ નિર્ણય કરશે કે રામ મંદિર કેવું હશે? જો કે અમિત શાહે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય બનવું જોઇએ, જો અમારી ચૂંટણીઢંઢેરાનો એક ભાગ છે.
અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યાં એક ઇંચ જમીન પર કર્ફ્યું નથી. ફારૂખ, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફતીને છોડવા પર અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓને મારે છોડવાના નથી. ત્યાંના તંત્રએ છોડવાના છે.