કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે બીજા દિવસે તેમણે સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે બેરોજગારી મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
બેરોજગારી મુદ્દે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
નકારાત્મક વાત કરનાર જ બેરોજગારીની વાત કરે છેઃ શાહ
બેરોજગારી મુદ્દે શાહના કોંગ્રેસ પર પ્રહાર
અમિત શાહે કહ્યું કે, કોગ્રેસે 60 વર્ષ રાજ કર્યું છે. પરંતુ બેરોજગારીના સમાધાન માટે શું કર્યું ? નકારાત્મક વાત કરનાર જ બેરોજગારીની વાત કરે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, PM મોદીની પહેલથી સ્કીલ ડેવલપમેન્ટમાં દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે સ્કિલ ડેવલપમેન્ટ દેશમાં રોજગારીનો રાજમાર્ગ બનશે.
અમિત શાહ છે હાલ ગુજરાતના પ્રવાસે
અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગે બનાવેલી એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ ખાતે નારણપુરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તો ગઇકાલે ઉત્તરાયણ પર્વના નિમિત્તે તેઓ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયની ઉજવણી કરી હતી. જ્યારે અમિત શાહ 15મીએ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે.
CM રૂપાણી સાથે અમિત શાહે કરી બેઠક
અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે CM વિજય રૂપાણી સાથે સીએમ નિવાસ સ્થાને બેઠક કરી હતી. સંગઠનમાં ફેરફાર અને અન્ય ચાલતી હાલની સમસ્યાઓ પણ મંથન કર્યું હતું. આ બેઠક આશરે 20 મિનિટ ચાલી હતી જેમાં નીતિન પટેલ અને જિતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.