ગૃહમંત્રી અમિત શાહ એક ચૂંટણી સભાને સંબોધન કરવા ગ્રેટર નોઈડામાં ગયા હતા, જ્યાં યોગીના વખાણ કરતા કરતા અચાનક લાઈટ જતી રહેતા અંધારમાં બેસી રહેવાનો આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારના રોજ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડમાં એક ચૂંટણી સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં અચાનક થોડી વાર માટે બત્તી ગૂલ થઈ ગઈ હતી. જેનાથી ભાજપના વરિષ્ઠ નેતા, પાર્ટી કાર્યકર્તાઓ અને અન્ય તમામને થોડા સમયમાં અંધારામાં રહેવું પડ્યું હતું.
અમિત શાહ ભાષણ આપતાં હતા અને અચાનક બત્તી ગૂલ થઈ ગઈ
શાહ ગ્રેટર નાઈડના કોલેજ પાર્ક વિસ્તારમાં એક ખાનગી યુનિવર્સિટીના હોલમાં ઈફેક્ટિવ વોટર ડાઈલોગ્સને સંબોધિત કરી રહ્યા હતાં. અહીં સાંજે ભાજપના સમર્થકો અને સ્થાનિક નિવાસીઓ એકઠા હતાં. જ્યારે ગૃહમંત્રી મંચ પરથી બોલી રહ્યા હતાં, ત્યારે લગભગ 30 સેકન્ડ સુધી અચાનક વિજળી ગુલ થઈ ગઈ હતી. તેનાથી હોલમાં બેઠેલા 250-300 જેટલા લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા હતા. જો કે, તેમાથી કોઈ તાત્કાલિક પોતાના મોબાઈલની લાઈટ ચાલું કરી દીધી હતી.
લાઈટ આવી જતાં ફરી યોગીના વખાણ શરૂ કર્યાં
તો વળી અમુક લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવાના શરૂ કરી દીધા હતા. સાથે જ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા નારા પણ લગાવ્યા હતા. પોતાના સંબોધનને ફરીથી શરૂ કરતા શાહે બાદમાં યોગી સરકારની ઉપલબ્ધીઓ ગણાવા લાગ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, યોગીએ યુપીને કાયદો અને વ્યવસ્થા, વિજળી સપ્લાય સહિતના કેટલાય મામલામાં દેશમાં યુપીને નંબર વન રાજ્યમાં બદલી દીધું છે.
વિજળી સપ્લાઈમાં સુધારો આવ્યો કે નહીં
તેમણે સભાને જણાવ્યું કે, આ કાર્યક્રમ પહેલા, હું આ યુનિવર્સિટીના મેનેજમેન્ટ લોકો સાથે બેઠો હતો અને તેમણે મને જણાવ્યું કે, તેમણે એક જનરેટર ખરીદ્યું હતું, જે પાછળી સરકાર દરમિયાન 22 કલાક ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ હવે અઠવાડીયામાં 22 કલાક પણ ઉપયોગમાં લેવામાં આવતું નથી. શાહે સભામાં બેઠેલા લોકોને પુછ્યું કે, વિજળી સપ્લાઈમાં કંઈ સુધારો આવ્યો છે કે નહીં, યુપીના ગૌતમ બુદ્ધનગર જિલ્લાના દાદરીમાં 10 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી થવાની છે અને પરિણામ 10 માર્ચે જાહેર થવાના છે.