કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની એક-એક ઈંચની જમીનથી ઘૂંસણખોરો અને ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવામાં આવશે. શાહે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે એમની ઓળખ કરીને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એમને ડિપોર્ટ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે એ દેશની એક-એક ઈંચની જમીનથી ઘૂંસણખોરી અને ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરીને એને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ડિપોર્ટ કરશે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે હાલ અસમમાં જે NCR છે એ અસમ સમજૂતીનો કરાર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, 'દરેક લોકોએ સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળ્યું હશે. જે જાહેરાતપત્રના આધાર પર અમે ચૂંટાઇને આવ્યા છીએ એમાં પણ આ વાત કહેવામાં આવી છે. દેશીન ઇંચ ઇંચ જમની પણ જેટલા પણ ગેરકાયદે પ્રવાસી રહે છે, ઘૂંસણખોરો રહે છે, અમે એની ઓળખ કરવાના છીએ અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અમે એમને ડિપોર્ટ કરીશું.'
Union Home Minister Amit Shah in Rajya Sabha: We will identify all the illegal immigrants and infiltrators living on every inch of this country and deport them as per the international law. pic.twitter.com/IqSYQMcqK1
રાયે કહ્યું કે NRC લાગૂ કરવામાં સરકારની ઇચ્છા બિલકુલ સ્પષ્ટ છે. એમને કહ્યું કે રાષ્ટ્રપતિ અને સરકારની પાસે 25 લાખથી વધારે એવી અરજી મળી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક ભારતીયોને ભારતના નાગરિક માનવામાં આવ્યા નથી જ્યારે NRC માં કેટલાક આવા નાગરિકોને ભારતીય માની લેવામાં આવ્યા છે, જે બહારથી આવ્યા છે. એમને કહ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે આ અરજીઓ પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય આપવામાં આવે. રાયે કહ્યું કે ઉચ્ચ કોર્ટના નિર્દેશ અનુસાર અસમમાં NRC ને 31 જુલાઇ 2019 સુધી પ્રકાશિત કરવાનું છે.